આપને જાણીને આશ્ચર્ય થશે કે, ચામાચિડીયા સસ્તનધારી જીવમાં એકમાત્ર એવો જીવ છે જે ઉડી શકે છે. રાતે પણ તે ઉડી શકે છે.
જેમાંથી કેટલીક પ્રજાતિઓના ચામાચિડીયા એવા હોય છે જે માત્ર લોહી જ પીવે છે. આ કારણોસર તેને પિશાચ ચામાચિડીયા તરીકે ઓળખવામાં આવે છે.
મોટાભાગના બ્રાઉન અથવા કાળા રંગના હોય છે.
ચામાચિડીયું આજથી આશરે 10 કરોડ વર્ષ પહેલા એટલે કે, ડાયનાસોરના સમયથી ધરતી પર રહે છે અને આજેપણ ધરતી પર તેમની હાજરી જોવા મળે છે.
ચામાચીડિયા બાકીના પક્ષીઓની જેમ જમીન પરથી ઉડી શકતા નથી, કારણ કે તેમની પાંખો જમીન પરથી ઉડવાની ક્ષમતા ધરાવતી નથી.
જેના કારણે તે દોડવામાં અને નીચેથી ઉડવામાં અસમર્થ છે.
ખરેખર, ચામાચીડિયા ઊંધુ સૂઈ જાય છે. હવે તમે વિચારતા જ હશો કે તેઓ પોતાનું સંતુલન ગુમાવ્યા પછી કેમ નથી પડતા?
તેમના પગની નસો એવી રીતે ગોઠવવામાં આવે છે કે તેમનું વજન તેમને તેમના પંજાને મજબૂત રીતે પકડવામાં મદદ કરે છે.