ગણપતિ કેમ પ્રિય છે મોદક નો પ્રસાદ ?

જયારે ગણપતિ નો દાંત તૂટ્યો ત્યારે તેમને ભોજન કરવામાં તકલીફ પડતી હતી ત્યારે તેમના માટે નરમ મોદક તૈયાર કરવામાં આવ્યો હતો.

એકવાર ગણપતિ માતા અનુસૂયા ના ઘરે ગયા હતા .

ભોજન આપ્યા પછી પણ ગણપતિ ની ભૂખ ન મટી ત્યારે અનુસૂયા એ આ મીઠી વાનગી પીરસી.

એવું માનવામાં આવે છે કે

જો ભગવાન ગણેશ ને 21 મોદક ચડાવવા માં આવે તો તેની સાથે અન્ય તમામ દેવતાઓનું પેટ પણ ભરાય છે.

મોદક નો અર્થ જોઈએ તો મોદ એટલે પ્રસન્ન.

ભગવાન ગણેશ હંમેશા પ્રસન્ન રહે છે માટે તેમને આ વાનગી અપાય છે.

મોદક અમૃત માંથી બનાવેલ કહેવાય છે .

દેવતાઓએ પાર્વતી ને જયારે દિવ્ય મોદક આપ્યા ત્યારથી તે ગણપતિ ના ફેવરિટ થઈ ગયા.