વસંત પંચમીના દિવસે જ લગ્ન માટે કેમ હોય છે સૌથી વધુ શુભ મુહૂર્ત?

હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું વિશેષ મહત્વ છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા સાથે કામદેવની પણ પૂજા કરવામાં આવે છે.

આ દિવસે વણજોયું મુહૂર્ત હોય છે.

એટલે કે આ દિવસે લગ્ન, મુંડન જેવા શુભ કાર્યો ગમે ત્યારે કરી શકાય છે.

શાસ્ત્રો અનુસાર, વસંત પંચમીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનો

તિલકોત્સવ થયો અને તેમના લગ્નની વિધિઓ શરૂ થઈ. આ જ કારણ છે કે લગ્ન માટે વસંત પંચમીનો દિવસ શુભ માનવામાં આવે છે.

આ વર્ષે વસંત પંચમીના તહેવારની સાથે

વેલેન્ટાઈન ડેની પણ ઉજવણી કરવામાં આવશે

વસંત પંચમી એ શિક્ષણ, પ્રેમ, જ્ઞાન અને કલાનું પ્રતિક છે

અને દરેક વ્યક્તિ જાણે છે કે વેલેન્ટાઈન ડે પર લોકો એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે

આખો દિવસ કોઈ દોષ નથી રહેતો અને ઉત્તમ યોગ છે. આ તિથિએ ખૂબ જ શુભ રવિ યોગ રચાય છે.

આ દિવસે લગ્ન, મુંડન જેવા શુભ કાર્યો ગમે ત્યારે કરી શકાય છે.

દર વર્ષે મહા મહિનાના સુદ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 14 ફેબ્રુઆરી 2024 બુધવારના રોજ છે.