ભારત પ્રાચીન કાળમાં વિદ્યાનું કેન્દ્ર હતું. વિશ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી ભારતમાં હતી.
૧૨મી સદી સુધી ચાલુ રહેલી આ વિદ્યાપીઠમાં ચીન, શ્રીલંકા, કોરિયા વગેરે એશિયન દેશોના વિદ્યાર્થીઓ ભણતા.
તેમાં આધ્યાત્મ, વ્યાકરણ, જ્યોતિષ, તર્કશાસ્ત્ર, ગણિત ,તેમજ તબીબી વિદ્યાઓ મુખ્ય હતી.
વિદ્યાપીઠમાં નવ માળની લાયબ્રેરી અને બૌધ્ધ સાધુઓને રહેવાની સગવડ હતી.
સ્થળે ખોદકામ દરમિયાન ઘણાં પગથિયાં વાળા બાંધકામ મળી આવેલા. નાલંદાના મુખ્ય બૌદ્ધ સ્તૂપમાં બુદ્ધની વિશાળ પ્રતિમા છે.