કરો આ રામબાણ વસ્તુનું સેવન
વધતી ઉંમરની સાથે લોકોના હાડકાં નબળાં થવા માંડે છે, જે હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ ઘટી જવાથી થતી સમસ્યા છે.
ગોળમાં આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે
ગોળની તાસીર ગરમ હોય છે, જેથી ઠંડીમાં તેનું સેવન અવશ્યપણે કરવું જોઈએ.
ગોળના સેવનથી હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે અને હાડકાં પણ મજબૂત થાય છે. આ ઉપરાંત, લોહીની ઉણપ પણ દૂર થાય છે.
તો જો કોઈ વ્યક્તિના શરીરમાં લોહીની ઉણપ હોય, તો તે વ્યક્તિએ રોજ રાત્રે જમ્યા બાદ 5 ગ્રામ ગોળનું નવશેકા પાણી સાથે સેવન કરવું જોઈએ.
સ્ત્રીઓને ઘણીવાર એનિમિયા એટલે કે લોહીની ઉણપ હોય છે. આવી મહિલાઓ નિયમિત ગોળ ખાય તો તેમને ઘણો ફાયદો થાય છે.
આ ગોળનું સેવન ખૂૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. રાત્રે સૂતી વખતે એક ગ્લાસ નવશેકા પાણી સાથે 5 ગ્રામ રવાદાર ગોળનું સેવન કરવાથી ખૂબ જ લાભ થાય છે.