વેરવિખેર@વડગામ: પ્રેમમાં ભાન ભૂલી પ્રેમી સાથે મળી પતિને યમરાજ મોકલ્યો ?

અટલ સમાચાર, ડીસા વડગામના મેમદપુર રોડ પર સોમવારે સવારે મળેલી લાશ ઉપરથી પડદો હટી ગયો છે. ઘટનાની કડીઓ જોતાં યુવકની પત્નીએ આંધળા નશામાં હત્યા કરાવી હોવાની આશંકા પોલીસને છે. આવી સ્થિતિમાં પરિવારના ચાર બાળકો નોધારા બન્યા છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર રોડ પર એક રિક્ષા ચાલકની લાશ પડી હોવાનું જાણી પોલીસ હરકતમાં આવી હતી.
 
વેરવિખેર@વડગામ: પ્રેમમાં ભાન ભૂલી પ્રેમી સાથે મળી પતિને યમરાજ મોકલ્યો ?

અટલ સમાચાર, ડીસા

વડગામના મેમદપુર રોડ પર સોમવારે સવારે મળેલી લાશ ઉપરથી પડદો હટી ગયો છે. ઘટનાની કડીઓ જોતાં યુવકની પત્નીએ આંધળા નશામાં હત્યા કરાવી હોવાની આશંકા પોલીસને છે. આવી સ્થિતિમાં પરિવારના ચાર બાળકો નોધારા બન્યા છે.

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર રોડ પર એક રિક્ષા ચાલકની લાશ પડી હોવાનું જાણી પોલીસ હરકતમાં આવી હતી. આ સાથે સ્થાનિકો પણ ભારે ગભરાટમાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એક પછી એક બાબત જોઇ મોત અને લાશનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી શકે છે.

રિક્ષા ચલાવી પેટીયું રળતા પરમાર સુરેશભાઇ અને પત્નીને ખૂબ સારા સંબંધો નહોતા. પોલીસે શંકાનાં આધારે પત્ની સાથે અન્યોની પૂછપરછ તેજ કરી છે. પત્નિએ અન્ય સાથે મળી પતિને યમરાજ મોકલી દીધો હોવાની આશંકા પોલીસને છે. હત્યા કોઇ બોથડ પદાર્થ દ્વારા કરી ઓળખ છુપાવવા સહિતનું ષડયંત્ર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે ઘટનાને પગલે તપાસ હાથ ધરી છે.