કાંકરેજ તાલુકાનું વહીવટીતંત્ર માયકાંગલુ સાબીત થયું ઃ ખેડૂતો પરેશાન

”જગતના તાતની હૈયાવરાળ, સ્થાનીક નેતાગીરીનુ કાંઈ ઉપજતુ નથી” કાંકરેજ તાલુકાના ખેડૂતો ભારે પરેસાન બન્યા છે. 8.અ.7.12ના ઉતારા લેવા માટે લાંબી લાઈનો લાગી જતાં ઉહાપોહ મચી ગયો હતો. સરકારની ઈ-ગ્રામ યોજનાઓના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. માંયકાંગલુતંત્ર ક્યારે જાગશે તેવો રોષ સ્થાનીક ખેડૂતોમાં જોવા મળ્યો હતો. કાંકરેજ તાલુકાના ગામડાની ગામ પંચાયતોમાં ઉતારા નીકળતા ન હોવાથી ખેડૂતોને
 
કાંકરેજ તાલુકાનું વહીવટીતંત્ર માયકાંગલુ સાબીત થયું ઃ ખેડૂતો પરેશાન

”જગતના તાતની હૈયાવરાળ, સ્થાનીક નેતાગીરીનુ કાંઈ ઉપજતુ નથી”

કાંકરેજ તાલુકાના ખેડૂતો ભારે પરેસાન બન્યા છે. 8.અ.7.12ના ઉતારા લેવા માટે લાંબી લાઈનો લાગી જતાં ઉહાપોહ મચી ગયો હતો. સરકારની ઈ-ગ્રામ યોજનાઓના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. માંયકાંગલુતંત્ર ક્યારે જાગશે તેવો રોષ સ્થાનીક ખેડૂતોમાં જોવા મળ્યો હતો.
કાંકરેજ તાલુકાના ગામડાની ગામ પંચાયતોમાં ઉતારા નીકળતા ન હોવાથી ખેડૂતોને તાલુકા મથકના ધક્કા ખાવા પડી રહ્યા છે. જેથી ચેખલા ગામના ખેડૂતોએ મિડીયા સમક્ષ જણાવ્યું હતુ કે છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. પરંતુ તંત્રના પેટનુ પાણી હલતું નથી. ખેડૂતોનો ગુસ્સો તંત્રથી જ સીમિત રહ્યો ન હતો. તેમણે કાંકરેજ તાલુકાની નબળી નેતાગીરી સામે જ સવાલો ઉઠાવ્યા હતા.