રાજકારણમાં આરોપ-પ્રત્યારોપ અને છેલ્લે માફી, ગુજરાતમાં આવું એક તરફી કેમ?

ભાજપના નેતા રામ માધવે વધુ ઉત્સાહમાં આવી કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા વિરુદ્ધ નિવેદન આપી તો દીધું પરંતુ અબ્દુલ્લાના હુંકાર બાદ બિલાડીની જેમ નિવેદન પાછું પણ ખેંચી લીધું. રાજકારણમાં આરોપ પ્રત્યારોપ લગાવવા સામાન્ય વાત છે, પરંતુ જ્યારે કેટલાક એવા પણ નેતા હોય છે જે સમયાનુસાર નિવેદનો તો આપી દે છે પરંતુ વળતા પ્રહાર બાદ પોતાનું
 
રાજકારણમાં આરોપ-પ્રત્યારોપ અને છેલ્લે માફી, ગુજરાતમાં આવું એક તરફી કેમ?

રાજકારણમાં આરોપ-પ્રત્યારોપ અને છેલ્લે માફી, ગુજરાતમાં આવું એક તરફી કેમ?

ભાજપના નેતા રામ માધવે વધુ ઉત્સાહમાં આવી કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા વિરુદ્ધ નિવેદન આપી તો દીધું પરંતુ અબ્દુલ્લાના હુંકાર બાદ બિલાડીની જેમ નિવેદન પાછું પણ ખેંચી લીધું.

રાજકારણમાં આરોપ પ્રત્યારોપ લગાવવા સામાન્ય વાત છે, પરંતુ જ્યારે કેટલાક એવા પણ નેતા હોય છે જે સમયાનુસાર નિવેદનો તો આપી દે છે પરંતુ વળતા પ્રહાર બાદ પોતાનું બેશરમની જેમ પોતાનું નિવેદન પણ બદલી દેતા હોય છે, આવું જ જોવા મળ્યું જમ્મુ કાશ્મીરમાં. ભાજપના નેતા રામ માધવે વધુ ઉત્સાહમાં આવી કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા વિરુદ્ધ નિવેદન આપી તો દીધું પરંતુ અબ્દુલ્લાના હુંકાર બાદ બિલાડીની જેમ રામ માધવે પોતાનું નિવેદન પાછું પણ ખેંચી લીધું. આવી જ સ્થિતિ ગુજરાતમાં કોંગ્રેસની જોવા મળી હતી, જ્યારે પરપ્રાંતિયનો મુદ્દો ચગ્યો હતો. હંમેશની જેમ આ વખતે પણ કોંગ્રેસ પર ભાજપ ભારે પડ્યું હતું.

થોડા સમય પહેલા જ ભાજપના નેતા રામ માધવે વધુ પડતાં આવેશમાં આવીને એવું નિવેદન આપી દીધું કે પીડીપી અને નેશનલ કોન્ફ્રેન્સને પાકિસ્તાનનો સપોર્ટ છે અને તેઓ સરકાર બનાવે, જો કે આ નિવદેન બાદ ઓમર અબ્દુલ્લા ધૂઆફુંઆ થઇ ગયા અને વળતો પ્રહાર કરતાં કહ્યું કે હું રામ માધવને પડકાર ફેંકુ છું કે તેઓએ લગાવેલા આરોપ સાબિત કરે, તમારી સરકાર પાસે રો, એનઆઇએ અને આઇબી છે, સીબીઆઇ પર પણ તમારો કંટ્રોલ છે, તો જો તમારામાં હિમ્મત છે તો જનતા સમક્ષ પૂરાવા રજૂ કરો. નહીં તો માફી માગો, ખરાબ રાજનીતિ ન કરો. ઓમર અબ્દુલ્લાના હળહળતા જવાબથી રામ માધવ મૂંજાઇ ગયા અને તાત્કાલિક તેઓએ ટ્વીટ કરી પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું