આજે રાજનીતિનું સ્તર એટલી હદે નીચુ થઈ ગયું છે કે, લોકો દેશ માટે નહેરૂએ આપેલા યોગદાનને સાવ ભૂલી ગયા છે.
રાજીવ ગાંધી અને અન્ય પ્રધાનમંત્રીઓએ પણ દેશને એક બનાવવા માટે પોતાની આખી જિંદગીનો સમય આપી દીધો. જો આપણે આજે અહીં બેઠા છીએ તો, તેમના કારણથી જ બેઠા છીએ’.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા અબ્દુલ્લાએ કહ્યું કે, પરંતુ ‘આજે શું થઈ રહ્યું છે. મારી માને ગાળ આપવામાં આવે છે, મારા બાપને ગાળો આપવામાં આવી રહી છે. શું આ પ્રધાનમંત્રીનું સ્તર છે’. મે ક્યારે પણ પોતાની વાતમાં પોતાના માતા-પિતાનો ઉપયોગ નથી કર્યો. આ દેશના પ્રધાનમંત્રી હોવાના કારણે તેમણે ખુબ વિચારીને બોલવું જોઈએ.