41 ગામ કડવા પાટીદાર સમાજનો 12મો સ્નેહમિલન
અટલ સમાચાર, મહેસાણા 41 ગામ કડવા પાટીદાર સમાજ મિત્રમંડળનો 12મો સ્નેહમિલન સમારોહ જક્ષણી માતાજી મંદિર, લેકાવાડા ગામે યોજાઈ ગયો. કાર્યક્રમમાં સમારોહના મુખ્ય મહેમાન તરીકે બાબુભાઈ બી.પટેલ, ઈટાદરા, મંત્રી 41 ગામ કડવા પાટીદાર સમાજ, માણસા અને અતિથિ વિશેષ તરીકે માધુભાઈ યુ.પટેલ, ઈટાદરા ઉપસ્થિત રહેલ. સમાજને શિક્ષણક્ષેત્રે પ્રગતિ સાધવા જણાવેલ તેમજ સરકારે બનાવેલ બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક
Jan 24, 2019, 14:13 IST

અટલ સમાચાર, મહેસાણા
41 ગામ કડવા પાટીદાર સમાજ મિત્રમંડળનો 12મો સ્નેહમિલન સમારોહ જક્ષણી માતાજી મંદિર, લેકાવાડા ગામે યોજાઈ ગયો. કાર્યક્રમમાં સમારોહના મુખ્ય મહેમાન તરીકે બાબુભાઈ બી.પટેલ, ઈટાદરા, મંત્રી 41 ગામ કડવા પાટીદાર સમાજ, માણસા અને અતિથિ વિશેષ તરીકે માધુભાઈ યુ.પટેલ, ઈટાદરા ઉપસ્થિત રહેલ. સમાજને શિક્ષણક્ષેત્રે પ્રગતિ સાધવા જણાવેલ તેમજ સરકારે બનાવેલ બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમનો દરેક પરિવારને લાભ લેવા જણાવ્યું હતું. બેટી બચાવો વિષય પર વિસ્તૃત સમજણ આપેલ.
વિજાપુર સમાજ મિત્રમંડળના પ્રમુખ સોમાભાઈ પટેલ, રિલાયન્સ ઓટોએ પાટીદાર સમાજ મિત્રમંડળની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. આ પ્રસંગે મહેમાનોના પરિચય અને સ્વાગત પ્રવચન મંત્રી ભરતભાઈ પટેલ (સોહમ ઓટો) દ્વારા કરાયુ હતું.