આસજોલ કેનાલમાં ખાબકી વૃદ્ધની આત્મહત્યા

અટલ સમાચાર, બહુચરાજી બહુચરાજીના આસજોલ કેનાલમાં એક વૃદ્વે છલાંગ લગાવી દીધી હતી. જેની ચાર દિવસની શોધખોળ બાદ કેનાલમાંથી આજરોજ લાશ મળી આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બહુચરાજી પાસે આસજોલની કેનાલમાં એક વૃધ્ધે ઝંપલાવ્યું હતું. તરવૈયા અને તંત્રની ભારે શોધખોળ બાદ ચાર દિવસે લાશ બહાર કાઢવામાં આવી છે. 65 વર્ષિય વૃદ્વ માણસે ઘરના લોકોના કંકાશથી કંટાળીને
 
આસજોલ કેનાલમાં ખાબકી વૃદ્ધની આત્મહત્યા

અટલ સમાચાર, બહુચરાજી

બહુચરાજીના આસજોલ કેનાલમાં એક વૃદ્વે છલાંગ લગાવી દીધી હતી. જેની ચાર દિવસની શોધખોળ  બાદ કેનાલમાંથી આજરોજ લાશ મળી આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બહુચરાજી પાસે આસજોલની કેનાલમાં એક વૃધ્ધે ઝંપલાવ્યું હતું. તરવૈયા અને તંત્રની ભારે શોધખોળ બાદ ચાર દિવસે લાશ બહાર કાઢવામાં આવી છે. 65 વર્ષિય વૃદ્વ માણસે ઘરના લોકોના કંકાશથી કંટાળીને ઘરેથી નીકળીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે.

NDRFની ટીમને જાણ કરાતા શોધખોળ હાથ ધરી હતી. ત્યારે NDRF ની ટીમે સતત નવ કલાક સુધી કેનાલમાં શોધખોળ બાદ વૃદ્વ માણસની લાશ મળી આવી હતી.આસજોલ કેનાલમાં ખાબકી વૃદ્ધની આત્મહત્યા