રાજ્યમાં 79 IAS અધિકારીઓની બદલી, જુઓ કોને કયુ વિભાગ અપાયું?

અટલ સમાચાર,ડેસ્ક રાજ્ય સરકારે 79 IAS અધિકારીઓની બદલી કરી છે. જેમાં રાજકોટના કલેક્ટર રાહુલ ગુપ્તાની ગાંધીનગર ઈન્ડસ્ટ્રીઝ કમિશ્નર તરીકે બદલી કરી છે. તો જયંતિ રવિને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ બનાવાયા છે. આ પહેલા જયંતિ રવિ રાજ્યના આરોગ્ય કમિશનર પદે કાર્યરત હતા. સરકારે આજે એક સાથે 79 સનદી અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો છે. જેમાં ચૂંટણી પંચના
 
રાજ્યમાં 79 IAS અધિકારીઓની બદલી, જુઓ કોને કયુ વિભાગ અપાયું?

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્ય સરકારે 79 IAS અધિકારીઓની બદલી કરી છે. જેમાં રાજકોટના કલેક્ટર રાહુલ ગુપ્તાની ગાંધીનગર ઈન્ડસ્ટ્રીઝ કમિશ્નર તરીકે બદલી કરી છે. તો જયંતિ રવિને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ બનાવાયા છે. આ પહેલા જયંતિ રવિ રાજ્યના આરોગ્ય કમિશનર પદે કાર્યરત હતા.

સરકારે આજે એક સાથે 79 સનદી અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો છે. જેમાં ચૂંટણી પંચના કમિશનર તરીકે સંજય પ્રસાદની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર બંનેની બદલી કરવામાં આવી છે. જ્યારે સુરતના મ્યુનિસિપલ કમિશનરની પણ બદલી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકરની પણ બદલી કરવામાં આવી છે.

રાજ્યમાં 79 IAS અધિકારીઓની બદલી, જુઓ કોને કયુ વિભાગ અપાયું?

વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે એમ.એસ. પટેલની નિમણૂંક કરવામાં આવી છે. આ પહેલા તેઓ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટના એમડીની પોસ્ટ પર હતા. રૂપાણી સરકારમાં ગુડ બુકમા સ્થાન ધરાવતા એમએસ પટેલની વડોદરા નિમણૂંક કરાઈ છે. આગામી ચૂંટણીઓ સાથે વડોદરાની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ સરકારે એમ. એસ. પટેલ પર પસંદગી ઢોળી હોવાની ચર્ચા ચાલી રહી છે.

કોની કોની બદલીના આદેશ થયા?

  • સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારાસનની બદલી. GIDCના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે મૂકાયા.
  • ભાવનગરના કલેક્ટર હર્ષદ કુમાર પટેલની બદલી. સેટલમેન્ટ કમિશનર અને જમીન સુધારણામાં મૂકાયા.
  • ગોધરાના કલેક્ટર ઉદિત અગ્રવાલની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી.
  • રાહત કમિશનર મનોજ કોઠારીની મધ્ય ગુજરાત વીજ કંપની લી.નાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક.
  • મોરબી કલેક્ટર આર.જે. માકડિયાની બદલી. રેવન્યૂ ઇન્સ્પેકશન કમિશનર તરીકે મૂકાયા.
  • રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની ની સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી.
  • રાજકોટ કલેક્ટર રાહુલ ગુપ્તાની બદલી, રેમ્યા મોહન બન્યાં રાજકોટનાં નવા કલેક્ટર.
  • આરોગ્ય કમિશનર ડૉ. જયંતિ રવિ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં મૂકાયા.
  • સંગીતા સિંઘ (અધિક મુખ્ય સચિવ), સામાન્ય વહીવટ વિભાગમાંથી બદલી કરીને ગૃહ વિભાગમાં મૂકાયાં.
  • અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર (આરોગ્ય અને પરિવાર કલ્યાણ)ની બદલી. ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં મૂકાયા.
  • પોરબંદર કલેક્ટર એમ.એ. પંડ્યાની ગાંધીનગર ખાતે મીડ-ડે મીલ કમિશનર તરીકે બદલી.
  • તાપી-વ્યારાના કલેક્ટર આર.એસ. નિનામાની બદલી ડેવલેપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, ગાંધીનગર ખાતે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે બદલી.
  • ઠાસરાના આસિસ્ટન્ટ કલેક્ટર અર્પિત સાગરની વલસાડના ડીડીઓ તરીકે નિમણૂક.
  • અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનનાં ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકરની બદલી. ગુજરાત અર્બન ડેવલેપમેન્ટ મિશનમાં એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે મૂકાયા.
  • મધ્ય ગુજરાત વીજ કંપની લી.ના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ મંજુની બદલી. વાહનવ્યવહાર કમિશનર તરીકે મૂકાયા.
  • ધોલેરા સર પ્રોજેક્ટનાં સીઇઓ જય પ્રકાશ શિવહરેની બદલી. આરોગ્ય વિભાગના કમિશનર તરીકે મૂકાયા.
  • જમીન સુધારણા કમિશનર હારિત શુક્લાની સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ તરીકે બદલી.
  • સાયન્સ અને ટેકનોલોજી વિભાગનાં સચિવ ધનંજય દ્વિવેદીની બદલી. નર્મદા, જળસંપતિ અને કલ્પસર વિભાગના સચિવ તરીકે મૂકાયા.
  • GADના સંગીતા સિંઘને હોમ ડિપાર્ટમેન્ટમા મૂકાયા, જે.પી. ગુપ્તાને ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે નિમણૂક અપાઇ, પૂનમચંદ પરમારને એગ્રીકલ્ચર, ફાર્મર ડિપાર્ટમેન્ટના ACS તરીકે નિમણૂક અપાઇ