અટલ સમાચાર, અમદાવાદ
OBC/SC/ST એકતા મંચ ઘ્વારા આતંકવાદી હુમલાને વખોડી કાઢી દેખાવો કરાયા
ગુરૂવારે પુલવામામાં થયેલ આંતકી હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપવા માટે OBC/SC/ST એકતા મંચના કાર્યકરો અમદાવાદના થલતેજ ચાર રસ્તા પાસે શુક્રવારે સવારે ૧૦ વાગે ભેગા થયા હતા.
OBC/SC/ST એકતા મંચના ઉપપ્રમુખ મુકેશ ભરવાડની અધ્યક્ષતામાં કાર્યકરોએ આત્મઘાતી આંતકી હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી.
આ સાથે OBC/SC/ST એકતા મંચના કાર્યકરો ધ્વારા પાકિસ્તાન મુર્દાબાદના ઉગ્ર નારા સાથે પાકિસ્તાન અને આંતકવાદીઓના પુતળા દહન કરી ભારે વિરોધ દર્શાવ્યો હતો.