આસ્થા@સુરેન્દ્રનગરઃ સ્વયંભૂૂ પ્રગટ થયેલ ગણપતિ બાપાના દર્શને ભારે ભીડ

અટલ સમાચાર, ડેસ્ક સુરેન્દ્રનગર જીલ્લાનું સૌથી પ્રખ્યાત અને જાણીતુ હોવાની ગણપતિ ફાટસર સાથે લોકોની અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. સુરેન્દ્રનગર જીલ્લામાં ગણપતી દાદાના મંદિરની વાત આવે એટલે સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં આવેલ 1000 વર્ષ જુનું ભવ્ય મંદિર એટલે ગણપતિ ફાટસર. 25 એકરમાં ફેલાયેલ ભવ્ય મંદિરમાં ગૌ શાળા, જલારામ મંદિર પણ બાંધવામા આવ્યુ છે. આ મંદિરમાં લોકો પોતાની મનોકામના લઇને
 
આસ્થા@સુરેન્દ્રનગરઃ સ્વયંભૂૂ પ્રગટ થયેલ ગણપતિ બાપાના દર્શને ભારે ભીડ

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગર જીલ્લાનું સૌથી પ્રખ્યાત અને જાણીતુ હોવાની ગણપતિ ફાટસર સાથે લોકોની અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. સુરેન્દ્રનગર જીલ્લામાં ગણપતી દાદાના મંદિરની વાત આવે એટલે સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં આવેલ 1000 વર્ષ જુનું ભવ્ય મંદિર એટલે ગણપતિ ફાટસર. 25 એકરમાં ફેલાયેલ ભવ્ય મંદિરમાં ગૌ શાળા, જલારામ મંદિર પણ બાંધવામા આવ્યુ છે. આ મંદિરમાં લોકો પોતાની મનોકામના લઇને આવે છે. જે દાદા પૂર્ણ કરે છે. આ મંદિરમાં બિરાજમાન વિધ્ન હરતા ઞણેશજીના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે.

આસ્થા@સુરેન્દ્રનગરઃ સ્વયંભૂૂ પ્રગટ થયેલ ગણપતિ બાપાના દર્શને ભારે ભીડ

સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં આવેલ ગણપતી ફાટસર તરીકે પ્રખ્યાત મંદિરનો ઇતિહાસ 1000 વર્ષ જુનો છે .આ જગ્યા પર સરોવર હતું જ્યાં ચારેકોર પાણી ભરાયેલ રહેતું. વર્ષો પહેલાં ભાવનગરના એક ગામના વ્યક્તિને સપનામાં આવી એક નીશાન આપેલ. જ્યાં વઢવાણના તે સમયના ઠાકોર સાહેબએ નીશાન વાળી જગ્યા પર ખોદકામ કરતા ત્યાથી ગણેશજી પ્રગટ થયા સાથે વાઘેશ્વરી માતાની મૂર્તિ પણ નીકળેલ તે વાઘેશ્વરી માતાની મૂર્તિને ઠાકોર સાહેબ વઢવાણ લઇ ઞયા હતા.