અકસ્માત@અંબાજી: આંબાઘાટા નજીક લકઝરી પલટી, 33 વ્યક્તિ ઈજાગ્રસ્ત
અટલ સમાચાર,રિતિક સરગરા
અંબાજી થી દર્શન કરી પરત મહેસાણા ફરી રહેલી એક લકઝરી બસ મોડી રાત્રે પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો છે. લકઝરી બસમાં 56 મુસાફરો સવાર હતા. જેમાંથી 33 મુસાફરોને ઈજાઓ પહોંચી છે. જો તમામ ઇજાગ્રસ્તો ને પહેલાં સતલાસણા રેફરલ હોસ્પિટલ ત્યારબાદ મહેસાણા અને વડનગર ખસેડાયા હતા.
બનાસકાંઠા જિલ્લાના અંબાજી પાસે યાત્રિકોને લઈ પરત ફરતી લકઝરી બસ પલટી મારી ગઈ છે. શુક્રવારે મોડી રાત્રે લકઝરી બસ અંબાજીથી મહેસાણા તરફ જઈ રહી હતી ત્યારે દાંતા પાસે આંબાઘાટા માં ડ્રાઈવર એ સ્ટેરીંગ પર નો કાબૂ ગુમાવતા વળાંક માં આ લકઝરી બસે પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.
સમગ્ર ઘટનામાં 33 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને મહેસાણા અને વડનગર રિફર કરવામાં આવ્યા હતા. તમામ મુસાફરો મહેસાણા તથા તેની આસ પાસ નાં ગામનો રહેવાસી હોવા નુ જાણવા મલેલ છે.