અકસ્માત@જામનગરઃ કાર પલટી મારતાં એક જ પરિવારના 3 સભ્યોના મોત

અટલ સમાચાર, ડેસ્ક જામનગર રાજકોટ હાઈવે પર સર્જાઈ છે, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવતા અરેરાટી ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર-રાજકોટ રોડ પર ધ્રોલના જાયવા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળ પર જ મોત થયા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
 
અકસ્માત@જામનગરઃ કાર પલટી મારતાં એક જ પરિવારના 3 સભ્યોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

જામનગર રાજકોટ હાઈવે પર સર્જાઈ છે, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવતા અરેરાટી ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર-રાજકોટ રોડ પર ધ્રોલના જાયવા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળ પર જ મોત થયા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિગતે ઘટનાની વાત કરીએ તો, રાજકોટથી જામનગર તરફ આવેલા સોયલ તરફ આવી રહેલ પટેલ પરિવારના ત્રણ સભ્યોની કાર રસ્તા પર અચાનક કોઈ ઢોર આડે આવી જતા ધ્રોલ પંથકના જાયવા ગામ નજીક પલટી મારી ગઇ હતી, અને પરિવાર કાળનો કોળિયો બની ગયો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોલીસના જણાવ્યા અનુસાર, મૂળ ધોરાજીના હાલ રાજકોટ રહેતા પરિવારના 5 લોકો કારમાં સવાર હતા. જેમાંથી અકસ્માતમાં ઘટનાસ્થળે જ એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ નિપજયા હતા. જ્યારે બે લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બપોરના સમયે મેઈન રોડ પર અકસ્માત સર્જાતા થોડા સમય માટે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી, જોકે પોલીસે સ્થળ પર પહોંચી મામલો સંભાળી લીધો હતો. આ અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને આ ઘટનાને પગલે ધ્રોલથી પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.