અકસ્માત@કાંકરેજ: બેફામ બાઇકની ટક્કરે પતિ-પત્નિ ફંગોળાયા, ઇજાગ્રસ્ત યુવકનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, કાંકરેજ કાંકેરજ પંથકમાં અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર પહેલાં જ મોત થયુ છે. ગઇકાલે સવારના સમયે બાઇક પર જતાં પતિ-પત્નિને સામેથી આવતાં બાઇકે ટક્કર મારી હતી. બેફામ બાઇકની ટક્કરે બંને પતિ-પત્નિ નીચે પડી જતાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તેમનું મોત થયુ હતુ. અકસ્માત સર્જીને બાઇકનો ચાલક નાસી છુટ્યો
 
અકસ્માત@કાંકરેજ: બેફામ બાઇકની ટક્કરે પતિ-પત્નિ ફંગોળાયા, ઇજાગ્રસ્ત યુવકનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, કાંકરેજ

કાંકેરજ પંથકમાં અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર પહેલાં જ મોત થયુ છે. ગઇકાલે સવારના સમયે બાઇક પર જતાં પતિ-પત્નિને સામેથી આવતાં બાઇકે ટક્કર મારી હતી. બેફામ બાઇકની ટક્કરે બંને પતિ-પત્નિ નીચે પડી જતાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તેમનું મોત થયુ હતુ. અકસ્માત સર્જીને બાઇકનો ચાલક નાસી છુટ્યો હોઇ તેની સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ પંથકના મોટા જામપુર નદીની ડીપથી થોડેક દૂર અકસ્માતની ઘટના સામે આવી છે. કાંકરેજના ખારીયા ગામના ભીખુભા અને તેમની પત્નિ વસંતબા બાઇક લઇને જામપુર તરફ જઇ રહ્યા હતા. આ દરમ્યાન મોટા જામપુર નદીથી ડીપથી થોડે દૂર સામેથી બેફામ સ્પિડે આવતાં એક બાઇકે તેમને ટક્કર મારી હતી. જેમાં બંને નીચે પડી ગયા બાદ ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ તરફ ગંભીર ઇજાઓને કારણે ભીખુભાનું મોત થયુ તો હાલ વસંતબાની સારવાર ચાલુ હોવાનું સામે આવ્યુ છે.

અકસ્માત@કાંકરેજ: બેફામ બાઇકની ટક્કરે પતિ-પત્નિ ફંગોળાયા, ઇજાગ્રસ્ત યુવકનું મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જીલ્લામાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગઇકાલે બપોરના સમયે સર્જાયેલા અકસ્માતમાં બાઇકની ટક્કરે અન્ય બાઇકમાં સવાર દંપતિ ઇજાગ્રસ્ત બન્યુ હતુ. જોકે યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત થયુ છે. સમગ્ર મામલે મૃતકના પરિવારજને ફરાર બાઇક ચાલક સામે શિહોરી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યાં ફરાર ચાલક સામે આઇપીસી 279, 337, 338, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.