દુર્ઘટના@અમદાવાદ: મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, ફાયર બ્રિગેડ-પોલીસ કાફલો ઘટનાસ્થળે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડ્યું છે. તેને પગલે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકોએ નાસભાગ કરી મૂકી હતી.વિમાન તૂટી પડ્યું હોવાની જાણકારી મળતાં જ ફાયર બ્રિગેડ તથા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પ્રારંભિક અહેવાલ મુજબ વિમાન મથકેથી ટેક ઓફ થયાની ગણતરીની મીનિટોમાં જ વિમાન ક્રેશ થયું હતું. ઘટનાસ્થળની આસપાસના રસ્તા બંધ કરી દેવાયા છે. વિમાનમાં 200 થી વધુ મુસાફરો હોવાનું જાણવા મળ્યું છે.
આ દુર્ઘટના બાદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. 1 વાગ્યે અને 10 મિનિટે ક્રેશ થયાની 10 જ મિનિટમાં વિમાન ક્રેશ થયું હોવાનું સુત્રોનું કહેવું છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દોડધામ મચી જવા પામી છે.શહેરમાં વિમાન તૂટી પડ્યું હોવાની ઘટનાની મુખ્યમંત્રીને જાણ કરી દેવામાં આવી છે. ઘટના સ્થળે બચાવ કામગીરી માટે એમ્બ્યુલન્સ પહોંચી ગઈ છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે.
આ ઘટનામાં બીએસએફ પણ રેસ્ક્યૂ માટે રવાના થઈ ગઈ છે. અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયા બાદ પ્લેન ક્રેશ થયું હતું. મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું છે. દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા દેખાયા હતા.IGB કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું છે. સામે આવેલી વિગતો અનુસાર પ્લેન વૃક્ષ સાથે અથડાયું હતુ. હાલમાં એરપોર્ટ આસપાસના રસ્તાઓને બ્લોક કરવામાં આવ્યા છે. દુર્ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે. વિમાન દુર્ઘટનાના કારણે આસપાસની બિલ્ડિંગોને પણ અસર થઈ છે.