દુર્ઘટના@પોરબંદર: હાઇવે પર ભયંકર અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત, 2 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે પોરબંદર-વેરાવળ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. કાર ચાલક ખંભાળિયાના ખજૂરીયાથી માંગરોળના લોએજ ગામ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા કારે અચાનક પલટી મારી હતી જેમાં એક જ પરિવારના 3 લોકોના ઘટના મોત નિપજ્યા હતા જ્યારે બે લોકોને ગંભીર ઈજા થઈ
 
દુર્ઘટના@પોરબંદર: હાઇવે પર ભયંકર અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત, 2 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે પોરબંદર-વેરાવળ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. કાર ચાલક ખંભાળિયાના ખજૂરીયાથી માંગરોળના લોએજ ગામ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા કારે અચાનક પલટી મારી હતી જેમાં એક જ પરિવારના 3 લોકોના ઘટના મોત નિપજ્યા હતા જ્યારે બે લોકોને ગંભીર ઈજા થઈ હતી. મોતને પગલે પરિવારમાં મોતનો માતમ છવાય ગયો છે.

દુર્ઘટના@પોરબંદર: હાઇવે પર ભયંકર અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત, 2 ઇજાગ્રસ્ત
જાહેરાત

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@પોરબંદર: હાઇવે પર ભયંકર અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત, 2 ઇજાગ્રસ્ત

પોરબંદર-વેરાવળ હાઇવે પર થયેલા અકસ્માતમાં મોત પામનાર મૃતકો ખંભાળીયાના હોવાનું મનાઈ રહ્યું છે. કારે ચીકાસા અને નરવાઈ ગામ વચ્ચે પલટી મારી હતી. અકસ્માતની જાણ થતા જ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા તેમજ તાત્કાલિક 108નો સંપર્ક કરી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અકસ્માતમાં કિશન, મયુર અને ઘેલું ચંદ્રાવાડિયાનું મોત નિપજ્યું જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદર ખસેડાયા છે.