મોંઘવારીઃ ખેડૂતો માટે સૌથી માઠા સમાચાર, ખાતરના ભાવમાં અધધ વધારો નોંધયો

ખેડૂત આગેવાનો જણાવે છે કે પોટાશના દર એપ્રિલમાં 850ની નજીક હતા. તે 1લી જાન્યુઆરી 2022થી રૂપિયા 1700 થઈ ગયા છે. તેજ પ્રમાણે એનપીકે ખાતરની કિંમત પણ 1040થી વધીને રૂપિયા 1700ને પાર થઈ છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

નવા વર્ષની શરૂઆતમાં ખેડૂતો માટે સૌથી માઠા સમાચાર આપ્યા છે. ફરી એકવખત ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ખાતરના ભાવ વધતાં દ. ગુજરાતના ખેડૂતો પર 40 કરોડનું ભારણ વધવાની આશંકા સેવવામાં આવી છે. જેમાં 1040 રૂપિયાની ખાતરની ગૂણીનો ભાવ 1 જાન્યુઆરીથી 1700 રૂપિયા થયો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં શેરડી પકવતા ખેડૂતોને ટન દિઠ રૂપિયા 40ના ખર્ચનું ભારણ વધશે. જેના પગલે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાને રજૂઆત કરાઇ છે.

તમને જણાવી દઈએ કે નવા વર્ષની શરૂઆત સાથે ખાતરના ભાવમાં વધારો થતાં પોટાશ ખાતરમાં ગુણ દીઠ અધધ 660 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 40 કરોડનો આર્થિક બોજો પડશે. જેના કારણે ખેડૂત સંગઠનોએ 5 હજાર કરોડની સબસિડી આપવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી છે. પોટાશ અને એનપીકે ખાતરના ભાવમાં મહિનામાં જ વધારો ઝીંકી દેતા ખાતરની ગુણીનો ભાવ રૂપિયા 1700ની સપાટીએ પહોચ્યો છે. જેના કારણે શેરડી અને રોકડીયા પાક પકવતા ખેડૂતોના માથે વધારાનો ખર્ચ આવતાં ખેડૂત સમાજ લાલચોળ થયો છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


ખેડૂત આગેવાનો જણાવે છે કે પોટાશના દર એપ્રિલમાં 850ની નજીક હતા. તે 1લી જાન્યુઆરી 2022થી રૂપિયા 1700 થઈ ગયા છે. તેજ પ્રમાણે એનપીકે ખાતરની કિંમત પણ 1040થી વધીને રૂપિયા 1700ને પાર થઈ છે. જેના કારણે રોકડીયા પાક અને શેરડીની ખેતી કરતા ખેડૂતોના માથે વધારાનો ભાર ઉભો થયો છે. જેને પગલે ખેડૂત સમાજે કેન્દ્રિય કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રી મનસુખ માંડવિયાને પોટાસ અને એનપીકે ખાતરના ભાવમાં સબસીડી વધારવા માટે માંગમી કરવામાં આવી છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં વધેલા રો મટીરિયલ્સના દરના કારણે સરકારી અને ખાનગી ફર્ટિલાઈઝર કંપની દ્વારા એનપીકે ખાતરના ભાવમાં એક મહિનાના અંતમાં જ બે વખતમાં કુલ 500 રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.