કૃષિજગતઃ દેશમાં કૃષિ પેદાશોની નિકાસમાં મોટો ઘટાડો, 14.39 ટકા નોંધાયો
અટલ સમાચાર, ડેસ્ક ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જુલાઈ ક્વાર્ટરમાં દેશની કૃષિ નિકાસ 14.39 ટકા ઘટીને 5.45 અબજ ડોલર(અંદાજે રૂ.38,7૦૦ કરોડ) થઈ છે. કૃષિ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના આંકડા અનુસાર, સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન બાસમતી અને નોન-બાસમતી ચોખાની નિકાસ 2.26 ટકા ઘટીને 1.56 અબજ ડોલર જેટલી થઈ છે. નોન-બાસમતી ચોખાની નિકાસ 38.3 ટકા ઘટીને
Sep 11, 2019, 11:49 IST
અટલ સમાચાર, ડેસ્ક
ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જુલાઈ ક્વાર્ટરમાં દેશની કૃષિ નિકાસ 14.39 ટકા ઘટીને 5.45 અબજ ડોલર(અંદાજે રૂ.38,7૦૦ કરોડ) થઈ છે. કૃષિ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના આંકડા અનુસાર, સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન બાસમતી અને નોન-બાસમતી ચોખાની નિકાસ 2.26 ટકા ઘટીને 1.56 અબજ ડોલર જેટલી થઈ છે.
નોન-બાસમતી ચોખાની નિકાસ 38.3 ટકા ઘટીને 69.5 કરોડ ડોલર જેટલી થઈ છે. આ સિવાય અન્ય ઉત્પાદનોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ગવાર, ગમ, મગફળી, બકરાનું માંસ, મરધાં અને ડેરી પ્રોડક્ટ ,પ્રોસેસ્ડ ફળો અને શાકભાજી, ફૂલો અને બીજનો સમાવેશ થાય છે.