અમદાવાદઃ અઢી વર્ષની બાળકીને, દુષ્કર્મ કર્યા બાદ ઠંડીમાં રસ્તે છોડી મૂકી નરાધમ ફરાર

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ શહેરના બોપલ આંબલી રોડ પર રામેશ્વર ફાર્મ નજીક મજુરી કામ કરતાં શ્રમજીવી પરિવારની બાળકી ત્રણ દિવસ પહેલાથી ગુમ હતી. આ બાળકી ઘર બહારથી ગુમ થઈ હતી. તેના પરિવારજનોએ આસપાસમાં શોધખોળ કરી પણ બાળકી મળી નહોતી. અંતે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ મામલે સરખેજ પોલીસે સીસીટીવી તેમજ અલગ અલગ જગ્યાએ બાળકીની શોધખોળ
 
અમદાવાદઃ અઢી વર્ષની બાળકીને, દુષ્કર્મ કર્યા બાદ ઠંડીમાં રસ્તે છોડી મૂકી નરાધમ ફરાર

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરના બોપલ આંબલી રોડ પર રામેશ્વર ફાર્મ નજીક મજુરી કામ કરતાં શ્રમજીવી પરિવારની બાળકી ત્રણ દિવસ પહેલાથી ગુમ હતી. આ બાળકી ઘર બહારથી ગુમ થઈ હતી. તેના પરિવારજનોએ આસપાસમાં શોધખોળ કરી પણ બાળકી મળી નહોતી. અંતે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ મામલે સરખેજ પોલીસે સીસીટીવી તેમજ અલગ અલગ જગ્યાએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બાળકીનો કોઈ પત્તો મળ્યો નાં હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આ દરમિયાન બીજા વહેલી સવારે પાંચ વાગ્યે ઘર નજીક આવેલા ત્રણ રસ્તા પાસેથી બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. પોલીસે બાળકીની તપાસ કરતા તેની સાથે કંઈક અણછાજતી ઘટના બની હોવાની શંકા ગઈ હતી. અને પોલીસે બાળકીનું મેડિકલ તપાસ કરાવી હતી. જેમાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો. જેથી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.