અમદાવાદઃ પતિએ મંદીનું કારણ ધરી પત્નિના દાગીના વેચ્યા, મામલો પોલીસ સ્ટેશનમાં

અટલ સમાચાર, ડેસ્ક શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પત્નીએ જ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પત્નીએ આક્ષેપ કર્યો છે કે, મંદીનું બહાનું કરી પતિએ તેના દાગીના વેચી નાખ્યા હતા અને લોન પણ લીધી હતી. આ ઉપરાંત પિયરમાંથી રૂપિયા લાવવાનું કહીને પતિ તેને ત્રાસ આપતો હતો. કૃષ્ણનગરમાં રહેતી અમીતાબેન સાંગાણીના લગ્ન શૈલેષ સાથે થયા હતા. અમીતાબેનના આ
 
અમદાવાદઃ પતિએ મંદીનું કારણ ધરી પત્નિના દાગીના વેચ્યા, મામલો પોલીસ સ્ટેશનમાં

અટલ સમાચાર, ડેસ્ક

શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પત્નીએ જ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પત્નીએ આક્ષેપ કર્યો છે કે, મંદીનું બહાનું કરી પતિએ તેના દાગીના વેચી નાખ્યા હતા અને લોન પણ લીધી હતી. આ ઉપરાંત પિયરમાંથી રૂપિયા લાવવાનું કહીને પતિ તેને ત્રાસ આપતો હતો.

અમદાવાદઃ પતિએ મંદીનું કારણ ધરી પત્નિના દાગીના વેચ્યા, મામલો પોલીસ સ્ટેશનમાં
file photo

કૃષ્ણનગરમાં રહેતી અમીતાબેન સાંગાણીના લગ્ન શૈલેષ સાથે થયા હતા. અમીતાબેનના આ ત્રીજા લગ્ન હતા. તેનો પતિ શૈલેષ એમ્બ્રોઇડરીનું જોબવર્ક કરે છે. હાલ તમામ ક્ષેત્રોમાં મંદી હોવાથી શૈલેષને પણ ધંધામાં મંદી આવી હતી. આથી શૈલેષે તેમની પત્નીના દાગીના વેચી નાખ્યા હતા.

અમદાવાદઃ પતિએ મંદીનું કારણ ધરી પત્નિના દાગીના વેચ્યા, મામલો પોલીસ સ્ટેશનમાં
advertise

આ રૂપિયાથી પણ મંદીની મોકાણમાંથી બહાર ન નીકળતા તેણે પત્ની પાસે ત્રણ લાખની લોન લેવડાવી હતી. જોકે, પતિએ હપ્તા ભર્યા ન હતા અને પત્નીને હપ્તા ભરવાનું કહીને માર મારીને ત્રાસ ગુજાર્યો હતો.

અમદાવાદઃ પતિએ મંદીનું કારણ ધરી પત્નિના દાગીના વેચ્યા, મામલો પોલીસ સ્ટેશનમાં
file photo

આ મામલે અમીતાબેને કંટાળીને પતિ સામે જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.