અમદાવાદઃ ફેસબુકના માધ્યમથી પ્રેમ થયો, પ્રેમિકા શંકાસીલ હોવાથી હત્યા કરી ફરાર

અટલ સમાચાર, ડેસ્ક ફેસબુકના માધ્યમથી પ્રેમ થતાં રાજસ્થાનના યુવક અને યુવતી ભાગીને અમદાવાદના નવા નરોડા ખાતે રહેવા આવી ગયા હતા. પ્રેમિકા અવારનવાર શંકા કરતી હોવાથી ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરીને લાશ બેગમા મૂકીને ઘર બંધ કરીને ઉદયપુર નાસી ગયો હતો. જો કે પ્રેમીને પોતાની ભૂલ સમજાતા તેણે ઉદયપુર પોલીસ સ્ટેશનમાં જઈને પ્રેમિકાની હત્યા
 
અમદાવાદઃ ફેસબુકના માધ્યમથી પ્રેમ થયો, પ્રેમિકા શંકાસીલ હોવાથી હત્યા કરી ફરાર

અટલ સમાચાર, ડેસ્ક

ફેસબુકના માધ્યમથી પ્રેમ થતાં રાજસ્થાનના યુવક અને યુવતી ભાગીને અમદાવાદના નવા નરોડા ખાતે રહેવા આવી ગયા હતા. પ્રેમિકા અવારનવાર શંકા કરતી હોવાથી ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરીને લાશ બેગમા મૂકીને ઘર બંધ કરીને ઉદયપુર નાસી ગયો હતો. જો કે પ્રેમીને પોતાની ભૂલ સમજાતા તેણે ઉદયપુર પોલીસ સ્ટેશનમાં જઈને પ્રેમિકાની હત્યા કર્યા હોવાની વાત કરતા નરોડા પોલીસ ઉદયપુર જઈને પ્રેમીને પકડી ગુનો નોંધ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજસ્થાનના મૂળ વતની અને હાલ નવા નરોડાના દેવનંદન સંકલ્પ સિટી ખાતે રહેતા અનુરાગસિંગ ભદોરિયા(ઉ.વ.19)ને થોડા સમય પહેલા સોશિયલ મીડિયાના ફેસબુક માધ્યમ દ્વારા રાજસ્થાન રહેતી કિરણ નામની યુવતી સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમ થયો હતો. જો કે બન્નેના પરિવારના આ સંબંધથી નારાજ હોવાના કારણે અનુરાગસિંગ અને કિરણ લગ્ન કરવાનું નક્કી કરીને રાજસ્થાનથી ભાગીને નવા નરોડાના દેવનંદન સંકલ્પ સિટી ખાતે રહેવા આવી ગયા હતા.

આરોપી પકડ્યા બાદ પોલીસે તેની પૂછપરછ હાથધરી ત્યારે જાણવા માળ્યું હતું કે, કિરણના અગાઉ લગ્ન થઈ ગયાં હતાં, જો કે તેના પતિ સાથે તેને મનમેળ ન થતાં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર બાદ ફેસબુકના માધ્યમથી બન્ને એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને બન્ને લગ્ન કરવા માગતા હતા. જો કે બન્નેના પરિવાર આ સંબંધથી નારાજ હોવાથી ભાગીને નવા નરોડા ખાતે આવી ગયા હતા. પરંતુ કિરણના શંકાસીલ સ્વભાવના કારણે ઝઘડો થતાં તેની હત્યા કરીને લાશને બેગમાં ભરી બેગ ઘરમાં મૂકી ઘરને લૉક કરીને ઉદયપુર આવી ગયો હતો.