અમદાવાદ: ભાણિયા વિરૂધ્ધ મામાએ જ નોંધાવી ફરીયાદ, કારણ જાણી ચોંકી જશો

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મામાએ પોતાના ભાણીયા સામે ફરિયાદ દાખલ કરાવી છે. ભાણીયો જે બાળપણથી પોતાના મામા સાથે રહેતો હતો કારણ કે ફરિયાદીની બહેનનુ મોત થઈ જતા તેને પોતાના ભાણીયાને સાથે રાખી મોટો કર્યો છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપી છે કે તેના ભાણીયા એ તેની ઉપર છરી વડે હુમલો
 
અમદાવાદ: ભાણિયા વિરૂધ્ધ મામાએ જ નોંધાવી ફરીયાદ, કારણ જાણી ચોંકી જશો

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મામાએ પોતાના ભાણીયા સામે ફરિયાદ દાખલ કરાવી છે. ભાણીયો જે બાળપણથી પોતાના મામા સાથે રહેતો હતો કારણ કે ફરિયાદીની બહેનનુ મોત થઈ જતા તેને પોતાના ભાણીયાને સાથે રાખી મોટો કર્યો છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપી છે કે તેના ભાણીયા એ તેની ઉપર છરી વડે હુમલો કરી ઘાયલ કરી નાખ્યો અને તેના પાછળનુ કારણ એવુ હતુ કે તે ફરિયાદીની પત્ની એટલે આરોપીની મામી સાથે બોલાચાલી અને ઝઘડો કરી રહ્યો હતો અને જેમા મામા વચ્ચે પડતા તેણે આ કૃત્ય કર્યુ છે. સમગ્ર બાબતે ફરિયાદીએ પોતાના ભાણીયા સામે ગુનો દાખલ કરાવી છે અને પોલીસે ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં ફરિયાદીની બહેનનું વર્ષો પહેલાં મોત થઈ જતા બચપણથી આરોપીને ફરિયાદી તેમની પાસે રાખી ઉછેરતા હતા.રવિવારે મોડી રાતે ફરિયાદી પોતાના ઘરે આવ્યા ત્યારે આરોપી તેની મામી સાથે બબાલ કરી રહ્યો હતો અને ઘર અંદરથી કેમ બંધ કરી દો છો? તેમ કહી બબાલ કરી રહ્યો હતો અને ગાળો બોલી રહ્યો હતો. ત્યારે મામાએ એટલે કે ફરિયાદીએ ગાળો ન બોલવાનું કહેતા આરોપી પાસે હાથમાં છરી હતી અને જે છરી વડે તેને મામા ઉપર હુમલો કરી નાખ્યો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આરોપીના હુમલામાં ઘાયલ થયેલા ફરિયાદીને સારવાર માટે હૉસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદીનું કહેવું છે કે તેનો ભાણીયો મોડી રાત સુઘી બહાર રહે છે અને ઘણી વાર ઘરે પણ આવતો નથી. જેથી ઘરમાં કોઈ ઘૂસી ચોરી ન કરી લે તે હેતુ થી તેમની પત્ની ઘર બંધ કરી દે છે. પરંતુ તે વાતને લીધે આરોપીએ મામી સાથે બબાલ કરી રહ્યો હતો. હાલ પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી 323, 324, 294(બી), 506(2) અને જીપીએ એક્ટ 135(1) મુજબ ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.