અમદાવાદઃ સિગારેટ પીવા બાબતે બોલાચાલી થતાં છરીના ઘા મારી યુવકની હત્યા
અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે અનેક હત્યાના બનાવો સામે આવતાં રહે છે. આ સાથે અમદાવાદમાં પણ કાગડાપીઠમાં નજીવી બાબતે યુવકની હત્યા થઈ જતા ચકચાર મચી ગઈ છે. 28 વર્ષના અજય કબીરા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. જોકે, યુવકની હત્યાનું કારણ જાણીને તમે ચોંકી જશો. પોલીસે આ હત્યાની ઘટનામાં આરોપીને ઝડપી પાડ્યો છે અને
Nov 4, 2020, 10:31 IST
અટલ સમાચાર, ડેસ્ક
કોરોના સંકટ વચ્ચે અનેક હત્યાના બનાવો સામે આવતાં રહે છે. આ સાથે અમદાવાદમાં પણ કાગડાપીઠમાં નજીવી બાબતે યુવકની હત્યા થઈ જતા ચકચાર મચી ગઈ છે. 28 વર્ષના અજય કબીરા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. જોકે, યુવકની હત્યાનું કારણ જાણીને તમે ચોંકી જશો. પોલીસે આ હત્યાની ઘટનામાં આરોપીને ઝડપી પાડ્યો છે અને તેને નજરકેદ કરી દીધો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મળતી વિગતો અનુસાર અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં અજય કબીરા અને હિતેશ પરમાર વચ્ચે સિગારેટ પીવા બાબતે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બનતાં હિતેશ પરમાર નામના શખ્સે ગળાના ભાગે છરી મારીને અજય કબીરા નામના શખ્સની હત્યા કરી નાંખી છે. વસંત રજબ કોમ્પ્લેક્સ પાસે આવેલી પંડિત નહેરુ સ્કુલ પાસેની ઘટના છે. પોલીસે આરોપીને નજરકેદમાં લીધો છે.