અમદાવાદ: પ્રિયતમા લગ્નની પીઠી ચોળે તે પહેલા જ પ્રેમીએ કરી હત્યા
અટલ સમાચાર,અમદાવાદ
અમદાવાદ નજીકના બાવળા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં યુવતીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા બાદ સ્થળ પરથી ફરાર થઇ ગયો છે. ત્યારે પરિવારનું કહેવું છે કે, જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકારીશું નહીં અને બાવળા બંધ કરવામાં આવશે.
અમદાવાદ નજીકના બાવળા બસ સ્ટેનડ બહાર બુધવારે સાંજે મિતલ જાદવ અને તેની બહેન જઇ રહી હતી. ત્યારે કેતન વાઘેલા સહીત ત્રણ લોકો બાઇક પર અવ્યા અને મૃતક મિતલ જાદવને બળજબરી લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મિત્તલે તેની સાથે જવા ઇન્કાર કરતા આરોપી કેતન મિતલને છરીના ઘા મારી ફરાર થઇ ગયો હતો. ઘટના બાદ મિતલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આરોપી ત્યાં પણ પાછળ આવ્યો હતો અને પરિવારના લોકો આવી ગયા હતા. આરોપીએ મિતલના પિતા અને નાના ભાઇ પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. 10 વર્ષીય ભાઇ આરોપી પાછળ ગયો હતો. પરંતુ આરોપી ભાગી જવામાં સફળ રહ્યો હતો. મહત્વનું છે કે, મિતલ જાદવના લગ્ન આગામી 26મી મેના રોજ રાજકોટ ખાતે થવાના હતા.
આ ઘટનાની જાણ થતા બાવળા પોલીસ તાત્કાલિક સ્થળ પર આવી તપાસ શરૂ કરી હતી. અને મૃતકને વધુ ઇજા હોવાથી અમદાવાદ વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યા મિતલનું મોત થયું હતું. બાવળા પોલીસે કેતન સહીત ત્રણેયના નામ અને સરનામા મળી આવતા અલગ અલગ ટુકડીઓ હાલ તપાસમાં લાગી છે. ત્યારે પરિવારનું કહેવું છે કે, જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકારીશું નહીં અને બાવળા બંધ કરવામાં આવશે.