અમદાવાદ: નિવૃત્ત DySPના પુત્રએ રિવોલ્વરથી આપઘાત કરતાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના બોપલ પાસે આવેલા શેલામાં એક નિવૃત્ત ડીવાયએસપીના પુત્રએ રિવોલ્વરથી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ, આપઘાત પાછળનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ બાબતે બોપલ પોલીસે પરિવારજનની પૂછપરછ અને વધુ તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો અમદાવાદના શેલામાં આવેલા મોનાર્ક સીટીમાં એક
 
અમદાવાદ: નિવૃત્ત DySPના પુત્રએ રિવોલ્વરથી આપઘાત કરતાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના બોપલ પાસે આવેલા શેલામાં એક નિવૃત્ત ડીવાયએસપીના પુત્રએ રિવોલ્વરથી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ, આપઘાત પાછળનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ બાબતે બોપલ પોલીસે પરિવારજનની પૂછપરછ અને વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના શેલામાં આવેલા મોનાર્ક સીટીમાં એક આપઘાતનો બનાવ બન્યો હોવાનો બોપલ પોલીસને મેસેજ મળ્યો હતો. બોપલ પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરી તો એક યુવકે રિવોલ્વરથી આપઘાત કર્યાનું જણાઇ આવતું હતું. આ યુવકનું નામ શિવમ ભરવાડ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તપાસ કરી તો શિવમે રિવોલ્વરથી આપઘાત કર્યો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શિવમના પિતા સી. જે. ભરવાડ નિવૃત્ત ડીવાયએસપી છે. અને તેઓ બહાર કોઈ કામ માટે બહાર ગયા હતા. ઘરે શિવમ તેમના પરિવાર સાથે હતા. પરિવાર સાથે મોડી રાત સુધી બેઠા પણ હતા. જે બાદ ત્રણેક વાગ્યાની આસપાસ તેમણે રિવોલ્વરથી આપઘાત કર્યો છે. પોલીસનું માનવું છે કે, શિવમ ભાઈએ આર્થિક કારણથી આપઘાત કર્યો હોય શકે છે. તેમની પાસે રિવોલ્વરનું લાયસન્સ હોવાનું પણ સામે આવ્યું છે.