અમદાવાદ: પુત્રની લાલસામાં પરિણીતાને સાસરીયાઓએ કાઢી મુકતા ફરીયાદ

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદ શહેરના સરદારનગરના ભીલવાસમાં રહેતી 26 વર્ષીય પરિણીતા ત્રણ માસથી માતાપિતા સાથે રહે છે. પાંચ વર્ષ પહેલા તેના લગ્ન એક યુવક સાથે થયા હતા. લગ્નબાદમાં તેને ત્રણ પુત્રીને જન્મ આપ્યો હતો. આ પુત્રીઓની ઉમર હાલ પાંચ વર્ષ અને બે વર્ષ તથા બે માસની થઇ ગઇ છે. ત્રીજી પુત્રીના જન્મ બાદ પતિએ આ યુવતિને
 
અમદાવાદ: પુત્રની લાલસામાં પરિણીતાને સાસરીયાઓએ કાઢી મુકતા ફરીયાદ

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદ શહેરના સરદારનગરના ભીલવાસમાં રહેતી 26 વર્ષીય પરિણીતા ત્રણ માસથી માતાપિતા સાથે રહે છે. પાંચ વર્ષ પહેલા તેના લગ્ન એક યુવક સાથે થયા હતા. લગ્નબાદમાં તેને ત્રણ પુત્રીને જન્મ આપ્યો હતો. આ પુત્રીઓની ઉમર હાલ પાંચ વર્ષ અને બે વર્ષ તથા બે માસની થઇ ગઇ છે. ત્રીજી પુત્રીના જન્મ બાદ પતિએ આ યુવતિને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પતિ અવાર નવાર કહેતો હતો કે તું છુટાછેડા આપી દે મારે બીજા લગ્ન કરવા છે. પતિની આ વાતમાં તેના ઘર વાળાઓએ પણ સાથ પૂરાવ્યો હતો. અને સાસરિયાઓએ કહ્યું કે તેમને તેની જરૂર નથી. ત્રણ ત્રણ દીકરીઓ થઇ ગઇ છે પણ તેમને તો પુત્ર જોઇએ છે પુત્રીઓની જરૂર નથી. ત્રણ માસ પહેલા પરિણીતાને કાઢી મૂકી હતીઆ પ્રકારની ધમકીઓ અવારનવાર સાસરિયાઓએ આપી ત્રણ માસ પહેલા પરિણીતાને કાઢી મૂકી હતી. જેથી પરિણીતા પિયરમાં રહેવા જતી રહી હતી. આખરે આ પરિણીતાને ન બોલાવતા તેણે તેના સસારિયાઓ સામે ઍરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે સાસરિયાઓ સામે તપાસ હાથ ધરી છે.