અમદાવાદ: વ્યાજખોરોનો આતંક યથાવત, કેનાલમાં કુદી વેપારીનો આપઘાત

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક યથાવત છે, માત્ર બે દિવયસમાં વ્યાજખોરછનો 7મો બનાવ સામે આવ્યો છે. ચાંદખેડામા ફર્નિચરનો વેપાર કરતા વેપારીએ કેનાલમાં પડતુ મુકી આત્મહત્યા કરી લીધી છે. મૃતક વેપારીની બેગમાંથી મળેલી સ્યુસાઇડ નોટમાં 4 વ્યાજખોર અને દુકાન પડાવી લેનાર 3 લોકોના નામનો ઉલ્લેખ છે. વેપારીએ લીધેલ મુડી કરતા વધુ વ્યાજ ચૂકવ્યું હોવા છતા આ
 
અમદાવાદ: વ્યાજખોરોનો આતંક યથાવત, કેનાલમાં કુદી વેપારીનો આપઘાત

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક યથાવત છે, માત્ર બે દિવયસમાં વ્યાજખોરછનો 7મો બનાવ સામે આવ્યો છે. ચાંદખેડામા ફર્નિચરનો વેપાર કરતા વેપારીએ કેનાલમાં પડતુ મુકી આત્મહત્યા કરી લીધી છે. મૃતક વેપારીની બેગમાંથી મળેલી સ્યુસાઇડ નોટમાં 4 વ્યાજખોર અને દુકાન પડાવી લેનાર 3 લોકોના નામનો ઉલ્લેખ છે. વેપારીએ લીધેલ મુડી કરતા વધુ વ્યાજ ચૂકવ્યું હોવા છતા આ વ્યાજંકવાદીઓ વેપારીને માનસિક અને શારીરિક રીતે હેરાનગતિ કરતા હતાં. 25 આ તારીખે આ વેપારી ગુમ થયા હતા અને આજે વેપારીનો આજે મૃતદેહ મળી આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

અમદાવાદમાં થોડા દિવસ પહેલા ઓઢવમાં પણ વ્યાજખોરની ફરિયાદ નોંધાઇ હતી. ત્યાં વધુ એક વ્યાજખોરની ફરિયાદ નવાવાડજ પોલીસ સ્ટેશનમાં પણ નોંધાઈ હતી. જેમાં નવાવાડજના એક યુવાનને બે લોકો પાસેથી લીધેલા વ્યાજના રૂપિયા બાબતે ધમકી આપતા અને મકાનના દસ્તાવેજ કરાવી લેતા મહિલાએ વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે વાડજ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.