અમદાવાદઃ હીરાના કારખાનાઓમાં દિવાળી વેકેશન 22ની જગ્યાએ 7 દિવસ કરાયું

અટલ સમાચાર, ડેસ્ક લૉકડાઉનના ચાર મહિના સુધી કારખાનાઓ બંધ રાખ્યા હોઈ હીરા ઉદ્યોગ પણ આર્થિક સંકડામણમાં છે. લૉકડાઉનને કારણે હીરા ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે. દર વર્ષે દિવાળીએ 22 દિવસનું વેકેશન પડતું હોય છે તેની જગ્યાએ આ વખતે વેકેશન ) ટૂંકાવીને સાત દિવસનું કરી દેવાયું છે. હીરા બજારમાં પણ વેકેશન સાત દિવસનું કરી દેવાયું
 
અમદાવાદઃ હીરાના કારખાનાઓમાં દિવાળી વેકેશન 22ની જગ્યાએ 7 દિવસ કરાયું

અટલ સમાચાર, ડેસ્ક

લૉકડાઉનના ચાર મહિના સુધી કારખાનાઓ બંધ રાખ્યા હોઈ હીરા ઉદ્યોગ પણ આર્થિક સંકડામણમાં છે. લૉકડાઉનને કારણે હીરા ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે. દર વર્ષે દિવાળીએ 22 દિવસનું વેકેશન પડતું હોય છે તેની જગ્યાએ આ વખતે વેકેશન ) ટૂંકાવીને સાત દિવસનું કરી દેવાયું છે. હીરા બજારમાં પણ વેકેશન સાત દિવસનું કરી દેવાયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાને કારણે જાહેર થયેલા લૉકડાઉને અનેક ધંધા-ઉધોગનો ભોગ લઈ લીધો છે. જેમાં અમદાવાદનો હીરા ઉધોગ પણ બાકાત રહ્યો નથી. લૉકડાઉનને કારણે હીરા ઉધોગને પણ કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. અનલોક બાદ હીરા બિઝનેસ ધીમે ધીમે પાટા પર આવી રહ્યો છે. ત્યારે હીરા ઉધોગના માલિકોએ પણ દિવાળી વેકેશન ટૂંકાવી કારખાના ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે અમદાવાદ ડાયમંડ એસોસિએશનના ઉપપ્રમુખ જણાવે છે કે, અમદાવાદમાં 200 હીરાના કારખાના છે. જેમાં 70 હજારથી વધુ કારીગરો કામ કરે છે. હીરાનો મુખ્ય ઉદ્યોગ મુંબઈ અને સુરત જ રહ્યો છે. અમદાવાદમાં હીરા ઉદ્યોગ હવે માત્ર મજૂરી કામ માટે એટલે કે હીરા ઘસવા અને તેના પોલીશિંગ માટેનું જ વર્ક રહેલું છે. એક કારીગર જો મહિને 15 હજારનું કામ કરતો હોય એવા 70 હજાર કારીગરને લૉકડાઉનના ચાર મહિના કામ મળ્યું ન હતું. એટલે કારીગર વર્ગને પગારની બાબતે કરોડોનું નુકસાન થયું છે. હાલ ડાયમંડ બિઝનેસમાં થોડી લેવાલી શરૂ થઈ છે એટલે હવે રત્નકલાકારોને પણ પૂરતું કામ મળી રહે તે માટે દિવાળી વેકેશન ટૂંકવવાનો નિર્ણય લેવાયો છે.