સંભાવના@અમદાવાદ: મનપા ચૂંટણીમાં BJPના આ સિનિયર નેતાઓનું પત્તુ કપાઇ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયેલુ છે. આ તરફ ગઇકાલે મુખ્યમંત્રીના નિવાસ્થાને મળેલ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ હવે અમદાવાદ મનપામાં ભાજપના આ સિનિયર નેતાઓનું પત્તુ કપાઇ શકે છે. મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપે કેટલાંક માપદંડ નક્કી કર્યા છે. જે મુજબ આ વખતે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ
 
સંભાવના@અમદાવાદ: મનપા ચૂંટણીમાં BJPના આ સિનિયર નેતાઓનું પત્તુ કપાઇ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયેલુ છે. આ તરફ ગઇકાલે મુખ્યમંત્રીના નિવાસ્થાને મળેલ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ હવે અમદાવાદ મનપામાં ભાજપના આ સિનિયર નેતાઓનું પત્તુ કપાઇ શકે છે. મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપે કેટલાંક માપદંડ નક્કી કર્યા છે. જે મુજબ આ વખતે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ નહીં આપે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને મળેલી પાર્લામેન્ટ્રી બેઠકમાં મનપા ચૂંટણીને લઈ ભાજપે કેટલાક માપદંડ નક્કી કર્યા છે. જેમાં જેમાં નેતાઓના પરિવારના સભ્ય કે સગાને ટિકિટ નહીં મળે. 3 ટર્મ પૂરી થઇ હોય તેને પણ પક્ષ ટિકિટ નહીં આપે. અને આ વખતે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ નહીં આપે. નોંધનિય છે કે, સુરત, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકાના ઉમેદવારો પણ આજે નક્કી થશે. તો 4 ફેબ્રુઆરીથી ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહેલાં ભાજપના દાવેદારોને આ સમાચારથી મોટો ઝટકો લાગ્યો છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે દાવેદારોને ટિકિટ આપવાના નિયમોમાં કેટલાંક ધરખમ ફેરફાર કર્યાં છે. આ ફેરફારોના કારણે પક્ષના નેતાઓને હવે પોતાનું પત્તુ કપાવવાનો ડર લાગી રહ્યો છે. નવા માપદંડોથી ક્યા નેતાઓનું સત્તામાં આવવાનું સપનું રોળાઈ શકે છે. સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ભાજપનું મંથન ચાલી રહ્યું છે. ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે બપોર બાદ અમદાવાદના 48 વોર્ડ માટે ઉમેદવાર નક્કી કરવા કવાયત હાથ ધરાશે. નવા નિયમો પ્રમાણે વર્તમાન કોર્પોરેટરોની ટિકિટ કપાઈ શકે છે. 60 વર્ષથી વધુ વયના કોર્પોરેટરોને ટિકિટ નહિ મળે તેવું પહેલેથી જ જાહેર થઈ ગયું છે, ત્યારે અમદાવાદના આ 13 થી વધુ કોર્પોરેટરોને ટિકિટ નહિ મળે તેવી શક્યતાં છે.

સંભવિત આ ઉમેદારોનું પત્તુ કપાઇ શકે છે

  1. સૈજપુર બોધા : ક્રિષ્નબેન ઠાકર
  2. શાહીબાગ : પ્રવીણ પટેલ
  3. ચાંદખેડા : કલ્પના વૈદ્ય, જયંતિ જાદવ
  4. જોધપુર : મીનાક્ષી બેન પટેલ, રશ્મિકાંત શાહ
  5. સાબરમતી : ચંચળબેન પરમાર
  6. બાપુનગર : મધુકાંતાબેન લેઉઆ
  7. મણિનગર : અમુલ ભટ્ટ
  8. ભાઈપુરા હાટકેશ્વર : સુધાબેન સાગર
  9. નિકોલ : હીરાબેન પટેલ
  10. વસ્ત્રાલ : મધુબેન પટેલ
  11. ખાડીયા : મયુર દવે
  12. વિરાટનગર ચંદ્રાવતી ચૌહાણ
  13. ખોખરા: નયન બ્રહ્મભટ્ટ