અટલ સમાચાર, મહેસાણા
મતદાર જાગૃતિ લાવવા ઉંઝા સ્વીપ આયોજીત ઐઠોર ગામમાં ભવાઇ કાર્યક્રમ યોજવમાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભવાઇ દ્વારા વી.વી.પેટ તેમજ ઇ.વી.એમ. અંગે જાગૃતિ લાવવા માટે ગ્રામજનોને સમજાવવામાં આવ્યા હતા. લોકો વધુને વધુ મતદાન કરે અને મતદાન માટે પ્રેરાય તે મુખ્ય ઉદ્દેશ હતો. વધુમાં ઐઠોર ગણપતિ દાદાના મેળામાં વી.વી.પેટ તેમજ ઇ.વી.એમ.નું નિદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યા હતા. સાલીનતા પૂર્વકની સમજણથી મતદારોમાં વી.વી.પેટ અને ઇ.વી.એમ.અગે જાગૃતિ પૂરી પડાઇ હતી.