એલર્ટ@અંબાજી: આતંકી હુમલાની દહેશતથી મંદીરમાં ચાંપતો બંદોબસ્ત
અટલ સમાચાર, અંબાજી (રિતિક સરગરા)
યાત્રાધામ અંબાજીમાં આંતકવાદી હુમલા અને 15મી ઑગસ્ટ સ્વતંત્રપર્વને લઇ સુરક્ષામાં વધારો કરાયો છે. કાશ્મીરમાં 370 અને 35 A નાબૂદ કર્યા બાદ આતંકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. અંબાજી મંદિર Z કેટેગરીની સુરક્ષા ધરાવતું મંદિર છે જ્યાં રોજિંદા હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ રહેતી હોય છે.
બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આતંકવાદી હુમલાની દહેશત અને આગામી 15મી ઑગસ્ટ સ્વતંત્ર પર્વને લઇ સુરક્ષામાં વધારો કરાયો છે. તાજેતરમાં જ સરકાર ઘ્વારા કાશ્મીરમાં 370 અને 35 A નાબૂદ કર્યા બાદ આંતકવાદી હુમલાની દહેશતના કારણે આ નિર્ણય લેવાયો છે. કોઈ અસામાજિક તત્વો પગ પેસારો કરી ન જાય કે કોઈ હુમલા જેવી ઘટના ન બને તે માટે મંદિરના તમામ પોઇન્ટ ઉપર પોલીસકર્મીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, Z કેટેગરીની સુરક્ષા ધરાવતા અંબાજી મંદિરમાં આધુનિક હથિયારો સહિત પોલીસકર્મીઓ ફરજ પ્રત્યે સતર્ક કરવામાં આવ્યા છે. સાથે સુરક્ષાકર્મીઓની સલામતી માટે પણ મંદિર પરીસરમાં 5 નવા મોરચા બનાવમાં આવ્યા છે.જ્યાં બીડીડીએસ સહિત QRT ટીમો સધન તસ કામગીરી કરી રહી છે