વિવાદ@પ્રતાપપુરાઃ વાવ પંથકમાં સત્તાધીશો જ ભૂમાફિયા?,સરપંચ પર આક્ષેપો
અટલ સમાચાર.દિયોદર કિશોર નાયક
સરહદી વાવ થરાદ પંથકમાં ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ હવે બે ફોમ બની રહ્યા છે. વાવ તાલુકાના પ્રતાપપુરા ગામના સરપંચ દ્વારા ખનીજ ચોરી કરાતી હોવાનો ગામના જ પુર્વ સરપંચ દ્વારા મિડાયા સમક્ષ ગેરરિતીનો પર્દાફાશ કરાતા ચકચાર મચી છે. વાવ પંથકના ગામડાઓમાં તળાવોમાંથી માટીની ચોરી કરતાની ઘટના સામે આવી છે.
વાવ તાલુકાના પ્રતાપપુરા ગામમાં આવેલ તળાવમાંથી ગામના સરપંચ દ્વારા જ માટીની ચોરી થતી હોય એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગામના સરપંચ દ્વારા પોતાના લોડર મશીન અને ટ્રેક્ટર ટોલી હોવાથી સરપંચ ના પતિ દ્વારા મન ફાવે તેમ ખનીજની ચોરી કરવામાં આવી રહી છે. જયારે ગામના પુર્વ સરપંચ દિનેશભાઈ દ્વારા પંચાયતને જાણ કરવામાં આવી ત્યારે મહિલા સરપંચ ઓખીબેનના પતિ નાગજીભાઈ પટેલ દ્વારા પુર્વ સરપંચ દિનેશભાઈ બે ફોમ શબ્દોનો ઉપયોગ કરીને જે થાય તે કરી લેવાની ધમકી પણ આપી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહિલા સરપંચ ઓખીબેનના પતિ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગામના તળાવમાંથી માટીની ચોરી કરીને પોતાની રીતે મન ફાવે તને પૈસા વસુલ કરીને મનમાની ચલાવે છે તેવા આક્ષોપો પુર્વ સરપંચ દિનેશભાઇ પટેલ દ્વારા મિડિયા સમક્ષ કરવામાં આવ્યા હતા. હવે જોવાનું રહું કે મામલતદાર કે વહીવટી તંત્ર ખનીજ માફિયાઓ સામે કાયૅવાહી કરશે કે નહીં.