અંબાજીઃ ગુજરાતના નવા ડીજીપી આશિષ ભાટિયાએ માં અંબાના દર્શનનો લાભ લીધો

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ) આશિષ ભાટિયા ડીજીપી બન્યા બાદ આજે પ્રથમવાર અંબાજી દર્શન કરવા આવ્યા. અંબાજી મંદિરના ગર્ભગૃહમાં પોતાની પત્ની સાથે દર્શન કર્યા. ડીજીપીએ જણાવ્યુ હતુ કે, અંબાજી મંદિર દ્વારા કોરોનાની ગાઈડલાઈન સારી રીતે પાલન કરવામાં આવે છે અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એ પણ મંદિર ટ્રસ્ટ દ્વારા સારી રીતે પાલન કરાવવામાં આવે
 
અંબાજીઃ ગુજરાતના નવા ડીજીપી આશિષ ભાટિયાએ માં અંબાના દર્શનનો લાભ લીધો

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ)

આશિષ ભાટિયા ડીજીપી બન્યા બાદ આજે પ્રથમવાર અંબાજી દર્શન કરવા આવ્યા. અંબાજી મંદિરના ગર્ભગૃહમાં પોતાની પત્ની સાથે દર્શન કર્યા. ડીજીપીએ જણાવ્યુ હતુ કે, અંબાજી મંદિર દ્વારા કોરોનાની ગાઈડલાઈન સારી રીતે પાલન કરવામાં આવે છે અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એ પણ મંદિર ટ્રસ્ટ દ્વારા સારી રીતે પાલન કરાવવામાં આવે છે. તે જોઈને હું આનંદની લાગણી અનુભવું છું. તેમજ સમગ્ર ગુજરાતમાંથી અને ભારતમાંથી કોરોના જલ્દીથી નાબૂદ થાય તેવી માને પ્રાર્થના કરું છું તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આશિષ ભાટિયાનું અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીજીપીની અંબાજી મંદિર મુલાકાત દરમિયાન બનાસકાંઠા એસપી તરુણ દુગ્ગલ, અંબાજી પી.આઈ એબી આચાર્ય તેમજ અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.