અમરેલી ખાતે હાર્દિક-અલ્પેશ કથીરિયાની ઉપસ્થિતિમાં ખેડુત વેદના પદયાત્રાનો પ્રારંભ

અટલ સમાચાર,અમરેલી પાસ કન્વીનર હાર્દિક પટેલની ધ્યક્ષતામાં આજથી અમરેલી જિલ્લામાં ખેડૂત વેદના પદયાત્રાનું આયોજન થયું છે. આ પદયાત્રા 4 દિવસ સુધી અમરેલી જિલ્લામાં ફરશે. હાર્દિકે આજે સવારે 7 વાગ્યે અમરેલી જિલ્લાના ફતેપુરમાં આવેલા પૂ.ભોજલરામ બાપાના મંદિરે દર્શન કરી પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ પદયાત્રામાં હાર્દિક પટેલ ઉપરાંત અલ્પેશ કથીરિયા, જયેશ પટેલ, ગીતા પટેલ, નિખિલ સવાણી
 
અમરેલી ખાતે હાર્દિક-અલ્પેશ કથીરિયાની ઉપસ્થિતિમાં ખેડુત વેદના પદયાત્રાનો પ્રારંભ

અટલ સમાચાર,અમરેલી

પાસ કન્વીનર હાર્દિક પટેલની ધ્યક્ષતામાં આજથી અમરેલી જિલ્લામાં ખેડૂત વેદના પદયાત્રાનું આયોજન થયું છે. આ પદયાત્રા 4 દિવસ સુધી અમરેલી જિલ્લામાં ફરશે. હાર્દિકે આજે સવારે 7 વાગ્યે અમરેલી જિલ્લાના ફતેપુરમાં આવેલા પૂ.ભોજલરામ બાપાના મંદિરે દર્શન કરી પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ પદયાત્રામાં હાર્દિક પટેલ ઉપરાંત અલ્પેશ કથીરિયા, જયેશ પટેલ, ગીતા પટેલ, નિખિલ સવાણી અને મનોજ પનારા સહીતના પાટીદાર નેતાઓ સામેલ થયા હતા.