ચિંતા@થરા: કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ છતાં કતલખાના બેફામ, રેલી કાઢી

અટલ સમાચાર,કાંકરેજ(રામજી રાયગોર) થરામાં હિન્દૂ સંગઠનો સહિતના દ્વારા ગંભીર બાબતોને લઈ ચિંતા સાથે રજૂઆત કરવામાં આવી છે. દેશ અને રાજ્યમાં ભાજપની સરકાર છતાં પશુ કતલખાના બેફામ હોઇ જીવદયા પ્રેમી સમિતિ દ્વારા રેલી કાઢી માંસમટનની દુકાનો બંધ કરવા માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લાના થરા શહેરમાં વિહીપ સહિતના સંગઠનો દ્વારા ગંભીર બાબતોને લઈ નારાજગી વ્યક્ત કરી હતી.
 
ચિંતા@થરા: કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ છતાં કતલખાના બેફામ, રેલી કાઢી

અટલ સમાચાર,કાંકરેજ(રામજી રાયગોર)

થરામાં હિન્દૂ સંગઠનો સહિતના દ્વારા ગંભીર બાબતોને લઈ ચિંતા સાથે રજૂઆત કરવામાં આવી છે. દેશ અને રાજ્યમાં ભાજપની સરકાર છતાં પશુ કતલખાના બેફામ હોઇ જીવદયા પ્રેમી સમિતિ દ્વારા રેલી કાઢી માંસમટનની દુકાનો બંધ કરવા માંગ કરી છે.

બનાસકાંઠા જિલ્લાના થરા શહેરમાં વિહીપ સહિતના સંગઠનો દ્વારા ગંભીર બાબતોને લઈ નારાજગી વ્યક્ત કરી હતી. વધતી જતી માંસમટનની દુકાનો અને કતલખાના બંધ કરાવવા સંગઠન શક્તિ બતાવવામાં આવી હતી. બહુચર માતા મંદિરથી નગરપાલિકા સુધી રેલી કાઢી સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

હિન્દુ સંગઠનો દ્વારા થરાપાલિકા પ્રમુખ અને પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી. સૌથી મહત્વની વાત એ છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ભાજપ સત્તાધીન હોવા છતાં વિવિધ હિન્દુ સંગઠનો નારાજ છે. કોંગ્રેસ વખતથી ચાલી આવતી રજૂઆત આજે પણ યથાવત હોવાથી ગંભીર ચિંતન માંગી લે છે.