APL રેશનકાર્ડ ધારકોને ફેબ્રુઆરી માસથી 4 લિટર કેરોસીન મળશે

અટલ સમાચાર, ગાંધીનગર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ગેસ જોડાણ વિનાના એપીએલ પરિવારોને ફેબ્રુઆરી-2019થી રેશનકાર્ડ દીઠ 4 લીટર સબસીડાઇઝડ કેરોસીન જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં એપીએલ રેશનકાર્ડ ધારકોને ૪ લીટર કેરોસીનનો લાભ મળતો થવાનો છે. મુખ્યમંત્રી સમક્ષ પ્રત્યક્ષ અને જિલ્લા પ્રવાસો
 
APL રેશનકાર્ડ ધારકોને ફેબ્રુઆરી માસથી 4 લિટર કેરોસીન મળશે

અટલ સમાચાર, ગાંધીનગર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ગેસ જોડાણ વિનાના એપીએલ પરિવારોને ફેબ્રુઆરી-2019થી રેશનકાર્ડ દીઠ 4 લીટર સબસીડાઇઝડ કેરોસીન જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં એપીએલ રેશનકાર્ડ ધારકોને ૪ લીટર કેરોસીનનો લાભ મળતો થવાનો છે. મુખ્યમંત્રી સમક્ષ પ્રત્યક્ષ અને જિલ્લા પ્રવાસો દરમિયાન લોકપ્રતિનિધિઓ, વિવિધ સંગઠનો અને જરૂરતમંદ વર્ગોએ આ કેરોસીનનો જથ્થો જે રાજ્યના જિલ્લામથકોએ 1 ડિસેમ્બર-2018થી અને અન્ય વિસ્તારોમાં 1 જાન્યુઆરી 2019થી બંધ કરવામાં આવ્યો હતો તે પૂન: સરળતાથી મળી રહે તે માટે રજૂઆતો કરી હતી.

રાજ્યના મુખ્યમંત્રીએ આ રજૂઆતો પ્રત્યે સંવેદનાસ્પર્શી સકારાત્મક પ્રતિસાદ આપતાં હવે 1 લી ફેબ્રુઆરીથી આઠ મહાનગરપાલિકા વિસ્તાર સિવાય સમગ્ર રાજ્યમાં કાર્ડ દીઠ મહત્તમ 4 લીટર કેરોસીન એપીએલ રેશનકાર્ડ ધારકોને આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના આશરે 47 લાખ પરિવારોને લાભ મળતો થશે.