અરેરાટી@ભરૂચઃ તબેલામાં આગ લાગતાં 1 ઘોડી સહિત 16 ગાય-વાછરડાઓના મોત, 12નો બચાવ

અટલ સમાચાર, ડેસ્ક ભરૂચના નેત્રંગ તાલુકામાં તબેલામાં આગ લાગવાનું કારણ હજી સુધી સામે આવી શક્યું નથી. તબેલા ફરતે નેટ અને વાસ બાંધેલા હતા અને અંદર ઘાસ સ્ટોર કરેલું હતું. જેથી ઘાસમાં આગ લાગી ગઇ હોવાનું અનુમાન છે. જો કે તપાસ બાદ જ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે. રામભાઇ રખોલીયાએ જણાવ્યું કે, અમે જમતા
 
અરેરાટી@ભરૂચઃ તબેલામાં આગ લાગતાં 1 ઘોડી સહિત 16 ગાય-વાછરડાઓના મોત, 12નો બચાવ

અટલ સમાચાર, ડેસ્ક

ભરૂચના નેત્રંગ તાલુકામાં તબેલામાં આગ લાગવાનું કારણ હજી સુધી સામે આવી શક્યું નથી. તબેલા ફરતે નેટ અને વાસ બાંધેલા હતા અને અંદર ઘાસ સ્ટોર કરેલું હતું. જેથી ઘાસમાં આગ લાગી ગઇ હોવાનું અનુમાન છે. જો કે તપાસ બાદ જ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે. રામભાઇ રખોલીયાએ જણાવ્યું કે, અમે જમતા હતા અને આગ લાગતા અમે બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે 17 પશુઓ અમે બચાવી શક્યા નહોતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભરૂચના નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામના ખેડૂત અને પશુપાલક રામભાઇ રાખોલીયા આજે બપોરે જમવા બેઠા હતા. અચાનક તબેલામાં આગ લાગી હતી. જેના પગલે ગાય અને વાછરડાઓમાં નાસભાગ મચી હતી. પશુપાલકો દ્વારા તત્કાલ પાણીનો મારો ચલાવી આગ તો બુઝાવી દેવાઇ હતી. જો કે 15-20 મિનિટમાં જ તબેલો બળીને ખાખ થઇ ગયો હતો. જેમાં ખેલી બાંધેલી 16 ગાય વાછરડા અને 1 ઘોડીનું મોત નિપજ્યું હતું. જો કે 12 ગાય વાછરડાને બચાવી લેવાયા હતા.