બહુચરાજીઃ 24 લાખના સુવિધા સભર શ્રીફળ વધેરવાનું સ્ટેન્ડ ગંદકીના બહાને બંધ

અટલ સમાચાર, બહુચરાજી મહેસાણા જિલ્લાના આસ્થાનું કેન્દ્ર શક્તિપીઠ બહુચરાજી ધામ વહિવટકર્તાઓના અણધડ વહિવટને લઈ ચર્ચાના ચગડોળે રહેતું હોય છે. લખલૂંટ ખર્ચા કર્યા બાદ સુવિધાસભર શ્રીફળ વધેરવાનું સ્ટેન્ડ છેલ્લા કેટલાક વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી વર્ષે-દહાડે લાખોની સંખ્યામાં આવતા માઈભક્તો શોભા સમાન બનેલા સ્ટેન્ડથી નારાજ બની રહ્યા છે. બેચરાજી શક્તિપીઠ ધામ મહેસાણા જિલ્લામાં પ્રખ્યાત
 
બહુચરાજીઃ 24 લાખના સુવિધા સભર શ્રીફળ વધેરવાનું સ્ટેન્ડ ગંદકીના બહાને બંધ

અટલ સમાચાર, બહુચરાજી

મહેસાણા જિલ્લાના આસ્થાનું કેન્દ્ર શક્તિપીઠ બહુચરાજી ધામ વહિવટકર્તાઓના અણધડ વહિવટને લઈ ચર્ચાના ચગડોળે રહેતું હોય છે. લખલૂંટ ખર્ચા કર્યા બાદ સુવિધાસભર શ્રીફળ વધેરવાનું સ્ટેન્ડ છેલ્લા કેટલાક વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી વર્ષે-દહાડે લાખોની સંખ્યામાં આવતા માઈભક્તો શોભા સમાન બનેલા સ્ટેન્ડથી નારાજ બની રહ્યા છે.

બેચરાજી શક્તિપીઠ ધામ મહેસાણા જિલ્લામાં પ્રખ્યાત યાત્રાધામ છે. આ જગ્યા ઉપર વર્ષમાં લાખો યાત્રાળુઓ બહુચરાજી માતાજીના દર્શને પધારતા હોય છે. જેમની સુવિધા માટે વહિવટકર્તાઓ દ્વારા 24 લાખના ખર્ચે શ્રીફળ સ્ટેન્ડનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જોકે, શ્રીફળ સ્ટેન્ડને એકાએક બંધ પણ કરી દેવાયું. જેનું કારણ એવું આગળ ધરવામાં આવ્યું કે, ગંદકી ફેલાય છે. હવે યાત્રાળુઓમાં એવું ચર્ચા બની છે કે, લાખોની આવક રળી આપતા યાત્રાધામની સફાઈ કરવાની જવાબદારીમાંથી પાછીપાની કરતા વહિવટકર્તાઓની સુઝબુઝ મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે. લોકોમાં ચર્ચાઈ તો એવું પણ રહ્યું છે કે, વહિવટકર્તાઓની અણઆવડત યાત્રાધામની સુંદરતાને રગદોળી રહ્યા છે.

મેળા સમયે વિનામૂલ્યે અપાતું ભોજનપ્રસાદ ખુટી પડ્યું હતું

તાજેતરમાં ચૈત્રી મેળામાં આવતા લાખો શ્રધ્ધાળુઓ માટે ભોજન પ્રસાદનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં ભોજન ખુટી પડતા કેટલાય શ્રદ્ધાળુઓ ભોજનપ્રસાદ લીધા વિના પાછા ફર્યા હતા. કલાકોમાં જ જમાવાનું ખુટી પડ્યું હતું. મેનુમાંથી ભાત, પુરી દીઠાય જોવા મળ્યા ન હતા. આમ દર વર્ષે 41000 હજારથી વધુ યાત્રિકો ભોજનાલયનો લાભ લેતા જે ચાલુ વર્ષે આશરે 31600ની સંખ્યા નોંધાઈ હતી.