બનાસકાંઠા: દાંતીવાડા નજીક ચાલકે કાબૂ ગુમાવતા બસ પલટતા 35 ઇજાગ્રસ્ત
અટલ સમાચાર,પાલનપુર રાજયભરમાં અકસ્માતોની ઘટનાઓ રોકાવાનું નામ નથી લેતી. ગુરૂવારે મોડી રાત્રે બનાસકાંઠાનાં દાંતીવાડાનાં મોટી મહુડી પાસે લક્ઝરી બસ પલટી મારી ગઇ હતી. જેમાં 35 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે પાંથાવાડા, ડીસા તેમજ પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ગુરૂવારે મોડી રાત્રે દાંતીવાડાનાં મોટી મહુડી પાસે મોડી રાત્રે આશરે 3
May 31, 2019, 11:15 IST
અટલ સમાચાર,પાલનપુર
રાજયભરમાં અકસ્માતોની ઘટનાઓ રોકાવાનું નામ નથી લેતી. ગુરૂવારે મોડી રાત્રે બનાસકાંઠાનાં દાંતીવાડાનાં મોટી મહુડી પાસે લક્ઝરી બસ પલટી મારી ગઇ હતી. જેમાં 35 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે પાંથાવાડા, ડીસા તેમજ પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
ગુરૂવારે મોડી રાત્રે દાંતીવાડાનાં મોટી મહુડી પાસે મોડી રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ ઝાલોરથી વડોદરા જતી લક્ઝરી બસ અચાનક પલટી ખાઇ ગઇ હતી. ડ્રાઇવરે મોડી રાતે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઇને ગંભીર ઇજાઓ થઇ નથી. બસમાં સવાર 35 લોકોને નાની મોટી ઇજા થઇ છે. હાલ આ મામલે પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.