બનાસકાંઠા: જીલ્લા આરોગ્ય અધિકારીનો વિદાય સમારંભ નડાબેટ ખાતે યોજાયો

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંડળ પાલનપુર દ્વારા નિવૃત્ત થતા ડૉ. અરુણ આચાર્ય, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાલનપુરનો વિદાય સમારંભ યોજાયો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંડળ જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા મુખ્ય જિલ્લા અધિકારી તરીકે ફરજ બજાવતા ડૉ. અરુણ આચાર્ય તા. ૩૦/૦૬/૨૦૧૯ ના રોજ વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ
 
બનાસકાંઠા: જીલ્લા આરોગ્ય અધિકારીનો વિદાય સમારંભ નડાબેટ ખાતે યોજાયો

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંડળ પાલનપુર દ્વારા નિવૃત્ત થતા ડૉ. અરુણ આચાર્ય, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાલનપુરનો વિદાય સમારંભ યોજાયો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંડળ જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા મુખ્ય જિલ્લા અધિકારી તરીકે ફરજ બજાવતા ડૉ. અરુણ આચાર્ય તા. ૩૦/૦૬/૨૦૧૯ ના રોજ વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ નડાબેટ, તા.સુઈગામ ખાતે યોજાયો હતો.

આ સમારંભમાં પરબતભાઇ પટેલ સાહેબ સાંસદ બનાસકાંઠા તેમજ ડૉ. એન.કે.ગર્ગ, જિલ્લા મેલેરિયા અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એચ.વી.જેપાલ તેમજ નડેશ્વરી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, આમંત્રિત મહેમાનો તથા બહોળી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતાં. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનું સાલ ઓઢાડી, સાફો પહેરાવી અને મોમેન્ટો આપીને તેમજ જિલ્લાના અન્ય નિવૃત્ત થયેલ કર્મચારીઓનું પણ સાફો પહેરાવી, સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.