બનાસકાંઠા: વોટ્સએપ ગ્રુપ દ્રારા રૂ.16,521 સદારામ બાપુના ભંડારામાં દાન કરાયા

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ઠાકોર સમાજના યુવાનો દ્રારા વોટ્સએપ ગુપ ચલાવીને ઠાકોર સમાજમાં શિક્ષણ માટે અનેક વખત ગરીબ ઘરના યુવાન કે યુવતીઓને અભ્યાસ માટે મદદ કરતાં હોય છે. ત્યારે સદારામ બાપા દેવલોક પામતાં સદારામ બાપાના ભંડારામાં હાકોટા ગુપના એડમીન શ્રવણજી જોરાજી ઠાકોર નોખા વાળા અને ગ્રુપના સભ્યો ઘ્વારા સદારામ બાપાના ભંડારામાં
 
બનાસકાંઠા: વોટ્સએપ ગ્રુપ દ્રારા રૂ.16,521 સદારામ બાપુના ભંડારામાં દાન કરાયા

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ઠાકોર સમાજના યુવાનો દ્રારા વોટ્સએપ ગુપ ચલાવીને ઠાકોર સમાજમાં શિક્ષણ માટે અનેક વખત ગરીબ ઘરના યુવાન કે યુવતીઓને અભ્યાસ માટે મદદ કરતાં હોય છે. ત્યારે સદારામ બાપા દેવલોક પામતાં સદારામ બાપાના ભંડારામાં હાકોટા ગુપના એડમીન શ્રવણજી જોરાજી ઠાકોર નોખા વાળા અને ગ્રુપના સભ્યો ઘ્વારા સદારામ બાપાના ભંડારામાં 16,521 રૂ. દાનમાં આપી સોશિયલ મિડીયાનો સદઉપયોગ કરવાની હાકલ કરાઇ છે.

બનાસકાંઠા: વોટ્સએપ ગ્રુપ દ્રારા રૂ.16,521 સદારામ બાપુના ભંડારામાં દાન કરાયા
હાકોટા ગ્રુપના સભ્યો

સોશિયલ મિડીયામાં કેટલાંય ગ્રુપ ઘ્વારા સમાજમાં અલગ-અલગ સેવાના કાર્યો કરવામાં આવતા હોય છે. પરંતુ બનાસકાંઠામાં ચાલતા હાકોટા વોટ્સએપ ગુપના 257 સભ્યો દ્રારા 16,521 રૂ. ટોટાણાના સંત સદારામ બાપાના ભંડારામાં દાનમાં આપી સોશિયલ મિડીયાનો સાચો ઉપયોગ કર્યો હોવાનું ચર્ચાઇ રહયુ છે.