બનાસકાંઠાઃઉત્તર ગુજરાતના આ ગામમાં 200 વર્ષથી હોળી કેમ પ્રગટતી નથી?

અટલ સમાચાર, પાલનપુર જીલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની વર્ષોથી ઉજવણી થતી નથી. વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળીના પ્રગટવાની પરંપરા આજે પણ અકબંધ છે. દેશભરમાં જયારે ધામધૂમથી રંગોના તહેવાર એવી હોળીને ઉલ્લાસભેર ઉજવામાં આવે છે. તો શા માટે છેલ્લા 200 વર્ષોથી આ ગામ હોળી કેમ પ્રગટાવવામાં આવતી નથી? બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં આવેલું
 
બનાસકાંઠાઃઉત્તર ગુજરાતના આ ગામમાં 200 વર્ષથી હોળી કેમ પ્રગટતી નથી?

અટલ સમાચાર, પાલનપુર

જીલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની વર્ષોથી ઉજવણી થતી નથી. વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળીના પ્રગટવાની પરંપરા આજે પણ અકબંધ છે. દેશભરમાં જયારે ધામધૂમથી રંગોના તહેવાર એવી હોળીને ઉલ્લાસભેર ઉજવામાં આવે છે. તો શા માટે છેલ્લા 200 વર્ષોથી આ ગામ હોળી કેમ પ્રગટાવવામાં આવતી નથી?

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં આવેલું રામસણ ગામ જેનું પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે. કહેવાય છે કે ભગવાન શ્રીરામે અહિયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી. રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ 10 હજારની વસ્તી છે. આ ઐતહાસિક ગામમાં 207 વર્ષ પહેલા હોળી પ્રગટાવવામાં આવી હતી. પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી.

ગામના ઘણા ઘરો આગની લપેટમાં આવતાં બળીને ખાખ થઈ ગયા હતા. જેથી ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા. આગ કેમ લાગી તેની લોક માન્યતા એ છે કે, આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું. જેથી સાધુ સંતોએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે, હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે એટલે હોળી પર્વ પર આ ગામમાં આગથી મોટી તબાહી સર્જાઈ હતી.

આગ લાગી તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકોએ ફરી હોળી પ્રગટાવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી અને કેટલાક મકાનો પણ આગમાં બળીને ખાખ થઇ ગયા હતા. ત્રણ વખત ગ્રામજનોએ હોળી પ્રગટાવી પરંતુ દરેક વખતે કોઈને કોઈ દુર્ઘટના બની જેથી ગામ લોકોએ બંધ કરી દીધું છે.

ગામલોકોનું કહેવું છે કે, જયારે પણ હોળી આવે છે ત્યારે ગામના વડીલોએ જણાવ્યા મુજબ 2૦૦ વર્ષો પહેલા હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક આગની વાત તાજી થતાં લોકો ધ્રુજી ઉઠે છે. આજે પણ આ ગામના લોકો બીજા ગામ જઈને હોળીને જોવે છે. આજે પણ ગામમાં હોળી પ્રગટતી નથી પરંતુ સૌ લોકો એકઠા થઈ આ દિવસે પ્રસાદ વહેંચે છે.