સૌંદર્ય@દાંતા: અરવલ્લીના ડુંગરાઓમાં સર્જાયો મસુરી, નૈનિતાલ જેવો નજારો
અટલ સમાચાર, મહેસાણા વરસાદી માહોલથી દાંતા-અંબાજીના ડુંગરાઓમાં મસુરી, નૈનિતાલ જેવો નજારો સર્જાયો છે. યાત્રિકોને ગરમીથી રાહત મળે તે માટે મેઘરાજા પણ મેળા પ્રસંગે રોજ સાંજે નિયમિત પધરામણી કરે છે ત્યારે વાદળોએ પણ નક્કી કર્યુ હશે કે, પદયાત્રિકોને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવીએ. અંબાજી, દાંતા, હડાદ વિસ્તારના ડુંગરાઓમાં વાદળછાયા વાતાવરણના લીધે મસુરી, નૈનિતાલ જેવો આહલાદક નજારો સર્જાયો
Sep 11, 2019, 17:15 IST
અટલ સમાચાર, મહેસાણા
વરસાદી માહોલથી દાંતા-અંબાજીના ડુંગરાઓમાં મસુરી, નૈનિતાલ જેવો નજારો સર્જાયો છે. યાત્રિકોને ગરમીથી રાહત મળે તે માટે મેઘરાજા પણ મેળા પ્રસંગે રોજ સાંજે નિયમિત પધરામણી કરે છે ત્યારે વાદળોએ પણ નક્કી કર્યુ હશે કે, પદયાત્રિકોને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવીએ.
અંબાજી, દાંતા, હડાદ વિસ્તારના ડુંગરાઓમાં વાદળછાયા વાતાવરણના લીધે મસુરી, નૈનિતાલ જેવો આહલાદક નજારો સર્જાયો છે. આ યાદગાર સંભારણાંને ઘણા પદયાત્રિકોએ પોતાના મોબાઇલ કેમેરામાં ક્લીક કરી આ ક્ષણને સેવ કરી દીધી હતી.