બેચરાજીની સરકારી કોલેજ ખાતે પ્રેરણાત્મક માર્ગદર્શન શિબિર યોજાઈ
અટલ સમાચાર,મહેસાણા મહેસાણા જિલ્લાના બહુચરાજી મુકામે આવેલ સરકારી કોલેજમાં ૧૯ જાન્યુઆરીના રોજ સુઝુકીમાંથી આવેલા વક્તા સોહનપાલ યાદવ દ્વારા પ્રેરણાત્મક માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. સોહનપાલ યાદવ પ્રેરણાદાયી વક્તા દ્વારા સરકારી આર્ટ્સ કોલેજ બેચરાજીમાં એક વક્તૃત્વ આપ્યું હતું. અને વિધાર્થીઓને મુદાસર છણાવટ કરીને વિસ્તૃત સમજણ આપી હતી. તેમને કહયું હતુ કે જે સ્વપન ને સાકાર કરવાની હિંમત
Jan 24, 2019, 11:31 IST
અટલ સમાચાર,મહેસાણા
મહેસાણા જિલ્લાના બહુચરાજી મુકામે આવેલ સરકારી કોલેજમાં ૧૯ જાન્યુઆરીના રોજ સુઝુકીમાંથી આવેલા વક્તા સોહનપાલ યાદવ દ્વારા પ્રેરણાત્મક માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. સોહનપાલ યાદવ પ્રેરણાદાયી વક્તા દ્વારા સરકારી આર્ટ્સ કોલેજ બેચરાજીમાં એક વક્તૃત્વ આપ્યું હતું. અને વિધાર્થીઓને મુદાસર છણાવટ કરીને વિસ્તૃત સમજણ આપી હતી. તેમને કહયું હતુ કે જે સ્વપન ને સાકાર કરવાની હિંમત રાખે છે તેને જીતવા માટે આખું વિશ્વ છે. જેનું ઉદાહરણ તરીકે ધીરુભાઈ અંબાણીના જીવનની યાત્રા વિશે સમજણ આપી હતી. તેમજ વિધાર્થીઓને તેમનું લક્ષ્ય નક્કી કરવાનુ અને તેને સિધ્ધ કરવા માટે સખત મહેનત કરવાનુ કહેવામાં આવ્યુ હતુ.