ભાવનગરઃ ST બસે ટક્કર મારતા આધેડનું ઘટનાસ્થળે કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે અકસ્માતના સિછસિલો યથાવત જોવા મળ્યો છે. ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાંથી પસાર થઈ રહેલી લોકલ એસટી બસની ટક્કરે એક આધેડનું મોત થયું છે. સલામત ST બસની ટક્કર મારતા આધેડનું ઘટના સ્થળે મોત થયું છે, તો સરકારી બસના પૈડા બેફામ બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે અઠવાડિયામાં જ એસટીની
 
ભાવનગરઃ ST બસે ટક્કર મારતા આધેડનું ઘટનાસ્થળે કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે અકસ્માતના સિછસિલો યથાવત જોવા મળ્યો છે. ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાંથી પસાર થઈ રહેલી લોકલ એસટી બસની ટક્કરે એક આધેડનું મોત થયું છે. સલામત ST બસની ટક્કર મારતા આધેડનું ઘટના સ્થળે મોત થયું છે, તો સરકારી બસના પૈડા બેફામ બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે અઠવાડિયામાં જ એસટીની ટક્કરે અકસ્માતમાં મૃત્યુ પામવાની આ બીજી ઘટના છે. ગત ઘટના મોરબી શહેરમાં બની હતી જેમાં એક મહિલાનું મોત થયું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાવનગર-ગારિયાધાર લોકલ બસની ટક્કર વાગતા જ આધેડ ઢળી પડ્યા હતા. રાહદારીઓએ એકઠા થઈને તેમને હટસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો જોકે, તે પહેલાં જ તેમમે દમ તોડી નાખ્યો હતો. મૃતકના પર્સમાંથી એક આધાર કાર્ડ મળી આવ્યું હતું જેમાં તેમનું નામ મેર લીંબા ભાઈ લખેલું હતું. જ્યારે સરનામું ભાલના રતનપુરનું હતું. રતનપુર વલ્લભીપુર તાલુકાનું ગામ છે.

ભાવનગરઃ ST બસે ટક્કર મારતા આધેડનું ઘટનાસ્થળે કરૂણ મોત
જાહેરાત

શહેરના વિઠ્ઠલવાડી વિસ્તાર પાસે આવેલા એક સર્કલ નજીક ભાવનગર-ગારિયાધાર રૂટની બસ અને સ્પ્લેન્ડર બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું હતું.બનાવની જાણ થતા જ ભાવનગર શહેર પોલીસે ઘટના સ્થળે આવી અને મૃતકની ઓળખ વિધિ કરી અને તેમના સંબંધીઓને જાણ કરવાની કામગીરી શરૂ કરી હતી