ભીમા-કોરેગાંવની 201મી વર્ષગાંઠ : લાખો લોકો આવવાની સંભાવના 7000 સુરક્ષાકર્મી તૈનાત

અટલ સમાચાર, ડેસ્ક ભીમા-કોરેગાંવની 201મી વર્ષગાંઠ પર મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં પોલીસ એકદમ એલર્ટ છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે 10 ગણાથી વધુ સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યા છે. જેથી ગત વર્ષની જેમ કોઈ હિંસક ઘટના ન બને. આ વખતે લાખો લોકો ભીમા-કોરેગાંવ પહોંચી શકે છે. ગયા વર્ષના અનુભવને ધ્યાને લઈ મહારાષ્ટ્ર સરકાર આ વખતે સચેત
 
ભીમા-કોરેગાંવની 201મી વર્ષગાંઠ : લાખો લોકો આવવાની સંભાવના 7000 સુરક્ષાકર્મી તૈનાત

અટલ સમાચાર, ડેસ્ક

ભીમા-કોરેગાંવની 201મી વર્ષગાંઠ પર મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં પોલીસ એકદમ એલર્ટ છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે 10 ગણાથી વધુ સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યા છે. જેથી ગત વર્ષની જેમ કોઈ હિંસક ઘટના ન બને.

આ વખતે લાખો લોકો ભીમા-કોરેગાંવ પહોંચી શકે છે. ગયા વર્ષના અનુભવને ધ્યાને લઈ મહારાષ્ટ્ર સરકાર આ વખતે સચેત છે. વિજય સ્તંભની આસપાસ હિંસક સ્થિતિ ઊભી થતી રોકવા માટે પોલીસે પહેલા જ 1200થી વધુ લોકોની વિરુદ્ધ પ્રિવેન્ટિવ એક્શન લીધા છે.

 

પોલીસે આ વર્ષે કોઈ પણ સંગઠનને સભા કરવાની મંજૂરી નથી આપી, પરંતુ અનુસૂચિત જાતિના અનેક નેતા વિજય સ્તંભ પર આવી શકે છે. તેમની ઉપર ખાસ નજર રાખવામાં આવશે.
આ વર્ષે મહારાષ્ટ્ર વહીવટીતંત્ર અને પોલીસે કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા અને કાયદો-વ્યવસ્થા કાયમ રાખવા માટે સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દીધી છે. પોલીસે ભીમા-કોરેગાંવના વિજય સ્તંભ અને તની આસપાસના વિસ્તારોમાં કુલ 7000 સુરક્ષાકર્મી તહેનાત કર્યા છે.