પુલવામા આતંકી હુમલાથી બોલિવૂડ ગુસ્સામાં

અટલ સમાચાર, ડેસ્ક જમ્મુ કાશ્મીરના પુલવામા ગુરુવારે આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયાં છે. એક્સપ્લોઝિવ ભરેલા એક વાહને સેન્ટ્રલ રિઝર્વ ફોર્સના જવાનોથી ભરેલી એક બસને ટક્કર મારી હતી. આ ઘટનાની દેશભરમાં નિંદા થઈ રહી છે. બોલિવૂડ સેલીબ્રિટી પણ સોશ્યિલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ ઘટના પછી વિકી કૌશલ, પ્રિયંકા ચોપરા, અક્ષય કુમાર,
 
પુલવામા આતંકી હુમલાથી બોલિવૂડ ગુસ્સામાં

અટલ સમાચાર, ડેસ્ક

જમ્મુ કાશ્મીરના પુલવામા ગુરુવારે આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયાં છે. એક્સપ્લોઝિવ ભરેલા એક વાહને સેન્ટ્રલ રિઝર્વ ફોર્સના જવાનોથી ભરેલી એક બસને ટક્કર મારી હતી. આ ઘટનાની દેશભરમાં નિંદા થઈ રહી છે. બોલિવૂડ સેલીબ્રિટી પણ સોશ્યિલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

આ ઘટના પછી વિકી કૌશલ, પ્રિયંકા ચોપરા, અક્ષય કુમાર, રીતેશ દેશમુખ, અજય દેવગન, કરણ જોહર, અભિષેક બચ્ચન સહિત અનેક બોલિવૂડ સેલેબ્રિટી આ ઘટનાને આંચકાજનક અને નિંદનીય ગણાવી છે. પ્રિયંકાએ લખ્યું છે કે નફરત કોઈ વસ્તુનો ઉકેલ નથી. તેણે શહીદોના પરિવારોની શક્તિની પ્રાર્થના કરી તો અક્ષય કુમારે તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

સીઆરપીએફના જે કાફલા પર હુમલો થયો તેમાં 70 વાહન હતાં. જેમાંથી એક ગાડી આતંકીઓના નિશાન પર હતી. સીઆરપીએફના જવાનોનો કાફલો જમ્મુથી શ્રીનગર આવી રહ્યો હતો. પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે અને આત્મઘાતી હુમલાખોરનો એક વીડિયો જાહેર કર્યો છે. આ હુમલાખોરની ઓળખ કમાન્ડર આદિલ અહમદ દાર તરીકે થઈ છે.